SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિદિનક્રિયાવસ્તુક/ “ભોજન' દ્વાર/ ગાથા ૩૬૯-૩૦૦ ભાવાર્થ : પૂર્વગાથામાં બતાવેલો વેદનાદિ છે કારણોના આલંબનથી અથવા તો પોતાનાથી જિનશાસનનાં ઘણાં કાર્યો થઈ શકે છે, ઈત્યાદિ કોઈ આલંબનથી, જે મુનિ વર્ણાદિ વધારવા માટે આહાર વાપરે છે, તે મુનિને શરીરનાં વર્ણાદિ વધારવારૂપ અશુભ આલંબનના નિમિત્તે તીવ્ર પાપબંધ થાય છે. માટે પાપથી ડરનાર મુનિએ સ્વમતિ પ્રમાણે અસદુ આલંબનો લઈને વર્ણાદિની વૃદ્ધિનું નિમિત્ત બને તે રીતે ભોજન કરવું જોઈએ નહીં, પરંતુ પ્રામાણિકપણે વેદનાદિ સદ્ આલંબનો લઈને સંયમની વૃદ્ધિનું કારણ બને તે રીતે ભોજન કરવું જોઈએ. li૩૬૯ અવતરણિકા: ___ तदपि न विकृतिविमिश्रमित्युक्तम्, अतो विकृतौ दोषमाह - અવતરણિયાર્થ: તે પણ શુદ્ધ આલંબનવાળું ભોજન પણ, સાધુ વિકૃતિથી વિમિશ્ર ન વાપરે, એ પ્રમાણે ગાથા ૩૬૮ના ત્રીજા પાદમાં કહેવાયું. આથી વિકૃતિમાં=વિગઈઓથી મિશ્રિત ભોજન વાપરવામાં, થતા દોષને કહે છે – ગાથા : विगई विगईभीओ विगइगयं जो उ भुंजए साहू । विगई विगयसहावा विगई विगयं बला णेइ ॥३७०॥ અન્વયાર્થ : વિવિયાવા=વિગઈ વિકૃતિના સ્વભાવવાળી છે. (આથી) વિવું =વિકૃતિનેકચિત્તની વિકૃતિને આશ્રયીને, વિરામ=વિગતિથી ભીત-દુર્ગતિથી ભય પામેલા, ગો દૂજે સાધુ વિફા=વિકૃતિગતને= વિગઈથી બનેલ અથવા વિગઈથી મિશ્ર એવા ભોજનને, મુંબઈ–વાપરે છે, (તે સાધુને) વિવિગઈ વસ્તા=બળથી બળાત્કારે, વિસાયં વિગતિને વિષે દુર્ગતિમાં, ડું=લઈ જાય છે. * “3' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થઃ વિગઈ વિકૃતિના સ્વભાવવાળી છે. આથી ચિત્તની વિકૃતિને આશ્રયીને દુર્ગતિથી ભય પામેલા જે સાધુ વિગઈથી બનેલ કે વિગઈથી મિશ્ર એવા આહારને વાપરે છે, તે સાધુને વિગઈ બળાત્કારે દુર્ગતિમાં લઈ જાય છે. ટીકા : विकृतिमिति चेतोविकृतिमाश्रित्य विगतिभीतो दुर्गतिभीतः सन् दुष्टाच्चेतसः कुगतिरिति मन्यमान इत्यर्थः, विकृतिगतमित्यत्र चेतोविकृतिहेतुत्वाद् विकृति:-क्षीरादिरूपा परिगृह्यते तद्गतं तज्जातं गतविकृति वा विकृतिमिश्र, यस्तु भुङ्क्ते साधुः स विकृतिगाम्येव, किमित्यत्राह-विकृति:-क्षीरादिलक्षणा विकृतिस्वभावा=चेतोविकारस्वभावा, यतश्चैवमतो विकृतिः प्रयुज्यमाना विगति बलान्नयति, तत्कारणपोषणादिति પથાર્થ રૂ૭ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy