________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભોજન’ દ્વાર / ગાથા ૩૫૬
ગાથા:
અન્વયાર્થ:
निद्धमहुराइ पुवि पित्ताईपसमणट्टया भुंजे । बुद्धिबलवद्धणट्ठा दुक्खं खु विर्गिचिरं निद्धं ॥ ३५६॥
પિત્તારૂંવસમાટ્ટુયા બુદ્ધિવનવદ્વટ્ઠા=પિત્તાદિના પ્રશમન અર્થે (અને) બુદ્ધિ-બળના વર્ધન અર્થે (સાધુ) પુનિ=પૂર્વે=ભોજનની શરૂઆતમાં, નિમન્નુરા=સ્નિગ્ધ-મધુરને મુંને=વાપરે, નિદ્ધ છુ વિનિધિનું 3વવું= ખરેખર સ્નિગ્ધને ત્યજવું દુઃખરૂપ છે. (માટે પણ સાધુ સ્નિગ્ધ-મધુર દ્રવ્યને પહેલાં વાપરે.)
:
ગાથાર્થ
પિત્તાદિના પ્રશમન અર્થે અને બુદ્ધિ-બળના વર્ધન અર્થે સાધુ ભોજનની શરૂઆતમાં સ્નિગ્ધમધુરને વાપરે. ખરેખર સ્નિગ્ધને ત્યજવું દુઃખરૂપ છે, માટે પણ સાધુ સ્નિગ્ધ-મધુર દ્રવ્યને પહેલાં વાપરે. ટીકા :
स्निग्धमधुरे- निस्यन्दनपायसादिरूपे पूर्वम्=आदौ पित्तादिप्रशमनार्थं भुञ्जीत, आदिशब्दात् वातादिपरिग्रहः, तदनु अम्लद्रव्यादीनि, प्रयोजनान्तरमाह- बुद्धिबलवर्द्धनार्थं, न हि बुद्धिबलरहितः परलोकसाधनं कर्त्तुमलमिति, तथा दुःखं च परित्यक्तुं स्थण्डिलेऽपि, सत्त्वव्यापत्तिसम्भवादिति गाथार्थः ॥ ३५६ ॥
ટીકાર્ય
963
પિત્તાદિને શમાવવા માટે પૂર્વે=આદિમાં=ભોજનના પ્રારંભમાં, નિસ્યંદન-પાયસાદિરૂપ સ્નિગ્ધ અને મધુર દ્રવ્યને વાપરે, ત્યારપછી ખાટાં દ્રવ્ય વગેરેને વાપરે. ‘“પિત્તાવિ’’માં ‘આવિ' શબ્દથી વાતાદિનો પરિગ્રહ છે. પ્રયોજનાંતરને—સ્નિગ્ધ અને મધુર દ્રવ્યને પહેલાં વાપરવામાં બીજા પ્રયોજનને, કહે છે –
બુદ્ધિ અને બળને વધારવા માટે, સ્નિગ્ધાદિ દ્રવ્યને પૂર્વે વાપરે, એમ અન્વય છે. બુદ્ધિ અને બળ વધારવાનું શું પ્રયોજન છે? એમાં યુક્તિ આપે છે
-
જે કારણથી બુદ્ધિ અને બળથી રહિત જીવ પરલોકના સાધનને કરવા માટે= પરલોકની સાધના કરવા માટે, સમર્થ થતો નથી, અને તે રીતે સ્થંડિલમાં પણ=શુદ્ધ ભૂમિમાં પણ, સ્નિગ્ધાદિ દ્રવ્યોનો પરિત્યાગ કરવા માટે દુઃખ છે=મુશ્કેલ છે; કેમ કે સત્ત્વની વ્યાપત્તિનો સંભવ છે—સ્નિગ્ધાદિ દ્રવ્યો પરઠવવાથી જીવોનો નાશ થવાનો સંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ:
સામાન્ય રીતે સાધુને સ્નિગ્ધાદિ દ્રવ્ય વા૫૨વાનો નિષેધ છે, છતાં કોઈ સાધુને સંયમની વૃદ્ધિ માટે સ્નિગ્ધાદિ દ્રવ્યો વગર ચાલે તેમ ન હોય તો કારણે સ્નિગ્ધાદિ દ્રવ્ય ગ્રહણ કરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે.
Jain Education International
અથવા ક્વચિત્ અન્ય નિર્દોષ ભિક્ષા મળી ન હોય પરંતુ સ્નિગ્ધાદિ ભિક્ષા જ નિર્દોષ મળી હોય ત્યારે પણ સંયમની વૃદ્ધિ માટે સાધુ સ્નિગ્ધાદિ આહાર ગ્રહણ કરે. તેથી આવા કોઈક કારણે સાધુ સ્નિગ્ધાદિ આહાર
For Personal & Private Use Only
www.jainelibrary.org