SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ પ્રતિદિનક્રિયાવસ્તુકી “ભોજન” દ્વાર/ ગાથા ૩૪૪-૩૪૫ यथारत्नाधिकं यथाज्येष्ठार्यतया सर्वान् चियत्तेणं ति भावतो मनःप्रीत्या निमन्त्रयेत्, एवमाग्रहत्यागः समानधार्मिकवात्सल्यं च कृतं भवतीति गाथार्थः ॥३४४॥ ટીકાર્ય અને “આજ્ઞા આપો’ એ પ્રમાણે ગુરુને પૂછીને તેના-ગુરુના, વચનથી ઈતર માંડલીઅનુપજીવક સાધુ, સર્વ પ્રાથૂર્ણક, લપક, ગ્લાન, શિષ્યકોને=નવદીક્ષિત સાધુઓને, યથારનાધિક યથાજ્યેષ્ઠાર્યતાથી, ભાવથી મનની પ્રીતિ વડે નિમંત્રે. આ રીતે આગ્રહનો ત્યાગ અને સમાન ધાર્મિકનું વાત્સલ્ય કરાયેલું થાય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ: માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે અનુજ્ઞા માંગી ગુરુના વચનથી પોતાની લાવેલી ગોચરી વાપરવા માટે પ્રાથૂર્ણક=બહારથી આવેલા સાધુઓ, ક્ષપક= તપસ્વી સાધુઓ, ગ્લાન=બિમાર સાધુઓ, અને શૈક્ષ=નવી દીક્ષા ગ્રહણ કરી હોય તેવા સાધુઓને નિમંત્રે, અને તે નિમંત્રણ પણ જયેષ્ઠ આદિના ક્રમથી કરે, અને ખાલી બતાડવા માટે જ નહિ, પરંતુ ભાવથી મનમાં પ્રીતિ ઉત્પન્ન કરીને નિમંત્રણ કરે, અર્થાત્ મારી લાવેલી ભિક્ષા આ બધા સાધુઓ ગ્રહણ કરો, એવા શુદ્ધ આશયપૂર્વક નિમંત્રણ કરે. આ પ્રકારે નિમંત્રણ કરવાથી પોતાના લાવેલા અશન-પાન પોતે જ વાપરવા, એવા આગ્રહનો= મમત્વના પરિણામનો, ત્યાગ થાય છે, અને પોતાના સમાન ધર્મવાળા સાધુઓની ભક્તિ થાય છે. l૩૪૪ અવતરણિકા : પૂર્વગાથામાં બતાવ્યું કે માંડલીઅનુપજીવક સાધુ પ્રાધૂર્ણક સાધુઓ વગેરેને નિમંત્રણ કરે. હવે નિમંત્રણ કર્યા પછી પ્રાપૂર્ણકાદિ કોઈ અશનાદિના અર્થી હોય તો શું કરવું? તે બતાવતાં કહે છે – ગાથા : दिन्ने गुरूहि तेसिं सेसं भुंजेज्ज गुरुअणुण्णाओ। गुरुणा संदिट्ठो वा दाउं सेसं तओ भुंजे ॥३४५॥ અન્વયાર્થ: (પ્રાથૂર્ણકાદિ અશનાદિના અર્થી હોય તો માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે આવીને ગુરુને નિવેદન કરે, ત્યારપછી) ગુરૂfë ગુરુ વડે તેfteતેઓને=પ્રાથૂર્ણકાદિને, વિન્ને=(અશનાદિ) અપાયે છતે કુમકુઇગો= ગુરુથી અનુજ્ઞાત સેકં શેષને=બાકી રહેલ અશનાદિને, મુંનેv=વાપરે, ગુરુવા=અથવા ગુરુ વડે સંવિસંદિષ્ટ સૂચન કરાયેલ તે સાધુ, રાક(સ્વયં પ્રાપૂર્ણક વગેરેને અશનાદિ) આપીને તો ત્યારપછી સે મું=શેષને વાપરે. ગાથાર્થ: પ્રાદૂર્ણકાદિ અશનાદિના અર્થી હોય તો માંડલીઅનુપજીવક સાધુ ગુરુ પાસે આવીને ગુરુને નિવેદના કરે, ત્યારપછી ગુરુ વડે પ્રાર્ણકાદિને અશનાદિ અપાવે છતે ગુરથી અનુજ્ઞાત બાકી રહેલ આશનાદિને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy