SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પ્રતિદિનક્રિયાવક/ “આલોચના' દ્વાર/ ગાથા ૩૩૩ અન્વયાર્થ : મારસ્થિમાસાનો ય અને ગૃહસ્થભાષાને, મૂઢહૂર સાં મૌક્યને અને ઢઢર સ્વરને વન-વર્જ, વમત્તે ય સંમિ અને કર-માત્રના સંસૃષ્ટ-ઇતરવિષયક સંસૃષ્ટ-અસંસૃષ્ટવિષયક, વાવાર માતોવ્યાપારને આલોચન કરે. ગાથાર્થ : અને ગૃહસ્થની ભાષાને, મૌક્યને અને ઢફર સ્વરને વર્ષે, અને કર-માત્રના સંસૃષ્ટ-અસંસ્કૃષ્ટ વિષચક વ્યાપારનું આલોચન કરે. ટીકાઃ __ आलोचयन् गृहस्थभाषाश्च वर्जयेत्, न केवलं नर्त्तिताद्येव, तथा मौक्यम् अव्यक्तभाषणेन मूकभावं ढङ्करं च स्वर=महानिर्घोषं वर्जयेत्, एतत्परित्यागेनाऽऽलोचयेत् व्यापार संसृष्टासंसृष्टविषयं कर(?मा)પાત્રયોતિ થાર્થ: રૂરૂણા નોંધ: ટીકામાં મૂળગાવ્યા પ્રમાણે પાત્રોને સ્થાને વરમાત્રથીઃ હોવું જોઈએ. ટીકાર્ય અને આલોચન કરતા સાધુ ગૃહસ્થની ભાષાઓને વર્જે, કેવલ નર્તિતાદિને જ નહીં, તથા મૌક્યને=અવ્યક્ત બોલવાથી મૂકભાવને, અને ઢઢર સ્વર=મહાનિર્દોષને=મોટા અવાજને, વર્જ. આનાનર્તિતાદિ છ દોષોના, પરિત્યાગથી હાથ અને માત્રના સંસૃષ્ટ-અસંસૃષ્ટના વિષયવાળા વ્યાપારને આલોચન કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : ગોચરીમાં લાગેલ દોષોની આલોચના કરતી વખતે સાધુએ નર્વિતાદિ દોષોનું વર્જન કરવું જોઈએ, તેમ જ ગૃહસ્થની ભાષાથી આલોચના કરવી જોઈએ નહિ, પરંતુ સંયતની ભાષાથી આલોચના કરવી જોઈએ; વળી આલોચના અવ્યક્ત ભાષણથી કે મોટા અવાજથી પણ કરવી જોઈએ નહીં, પરંતુ સ્પષ્ટ અને ગુરુ સાંભળી શકે તેવા ઉચિત અવાજથી કરવી જોઈએ. વળી શેની આલોચના કરવી જોઈએ? તે બતાવે છે – ગોચરી વહોરાવનાર વ્યક્તિના હાથ અને વહોરાવવાના સાધનરૂપ પાત્રો જલાદિથી સંસૃષ્ટ હતા કે અસંતૃષ્ટ હતા? અને કેવા પ્રકારની પ્રવૃત્તિપૂર્વક ગોચરી વહોરાવી? એ સર્વનું ગુરુ આગળ યથાર્થ નિવેદન કરવું જોઈએ. અહીં વિશેષ એ છે કે ગાથા ૩૩૧માં બતાવેલા નૃત્યાદિ દોષોવાળું આલોચન કરવાથી અવિધિ થાય છે. તેથી આલોચન કરતી વખતે સાધુએ શરીરના કોઈ વિકારો ન થાય તેવી શાંત મુદ્રામાં ઊભા રહીને, હાથ અને શરીરને સ્થિર રાખીને, સંપૂર્ણ માયારહિત થઈને ભિક્ષા ગ્રહણકાળમાં જે રીતે દોષો સેવાયા હોય તે રીતે સર્વ દોષોને ગુરુ પાસે યથાર્થ પ્રકાશન કરવા જોઈએ; પરંતુ જો નૃત્યાદિ દોષોથી આલોચન કરવામાં આવે તો આલોચનાની ક્રિયા યથાર્થ કરી હોય તોપણ, તે પ્રકારનો સંવરભાવ નહીં થવાથી સંયમની શુદ્ધિ થાય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy