SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ‘ભિક્ષા' દ્વાર-“ઇ” દ્વાર/ ગાથા ૩૨૫ અવતરણિકા : पराभिप्रायमाशङ्क्य परिहरन्नाह - અવતરણિયાર્થ: પૂર્વગાથામાં કહ્યું કે ઇરિયાવહિયાપૂર્વક કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે. ત્યાં પરના અભિપ્રાયની આશંકા કરીને તેનો પરિહાર કરતાં ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : जइ एवं ता किं पुण अन्नत्थ वि सो न होइ नियमेण । पच्छित्तं होइ च्चिअ अणियम उ जं अणुस्सरणे ॥३२५॥ અન્વયાર્થ : ન વિં=જો આમ છે=ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક લોગસ્સના સ્મરણ વગર કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે, તો મન્નત્ય વિ=તો અન્યત્ર પણ=માત્ર આદિ કરીને ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયોત્સર્ગમાં પણ, સો=આકલોગસ્સના સ્મરણ વગરનો કાયનિરોધ, નિયા =નિયમથી વિજ પુ=કેમ વળી પછિત્ત ન હોટ્ટ=પ્રાયશ્ચિત્ત નથી ? (તેનો ગ્રંથકાર જવાબ આપે છે –) રો વિ થાય જ છે; બંજે કારણથી મસર=અનુસ્મરણમાં કાયોત્સર્ગમાં લોગસ્સનું ચિંતવન કરવાના વિષયમાં, ગાયમ =અનિયમ જ છે. ગાથાર્થ : જે ભિક્ષા લાવ્યા પછી ઇરિયાવહિયાપૂર્વક લોગસ્સના સ્મરણ વગર કરાતો કાયનિરોધ ભિક્ષામાં લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત છે, તો માત્રુ આદિ કરીને ઇરિયાવહિયાપૂર્વક કરાતા કાયોત્સર્ગમાં પણ લોગસ્સના સ્મરણ વગરનો કાયનિરોધ નિયમથી કેમ વળી પ્રાયશ્ચિત્ત નથી ? તેનો ગ્રંથકાર જવાબ આપે છે કે થાય જ છે; જે કારણથી કાયોત્સર્ગમાં લોગસ્સના ચિંતવન વિષયક અનિયમ જ છે. ટીકા? __यद्येवं कायनिरोध एव तत्र प्रायश्चित्तं, तत्कि पुनरन्यत्राऽपि भिक्षाटनादिव्यतिरेकेण कायिकागमनादौ, असौ कायनिरोध एव चतुर्विंशतिस्तवानुस्मरणशून्यो, न भवति नियमेन अवश्यंतया प्रायश्चित्तं ? इत्यत्र गुरुराह-भवत्येव, न च (?न) भवति, कुत इत्याह - अनियम एव यद्-यस्मादनुस्मरणे, तथाहि - न चतुर्विंशतिस्तव एव तत्राऽपि चिन्त्येत, अपि तु यत्किञ्चित्कुशलं इत्येतावता च नः प्रयोजनमित्यलं प्रसङ्गेनेति गाथार्थः ॥३२५॥ નોંધ: ટીકામાં ન ર મવતિ છે ત્યાં ન મતિ હોય તેમ ભાસે છે. ટીકાર્ય જો આ રીતે પૂર્વગાથામાં કહ્યું એ રીતે, ત્યાં ભિક્ષાટન કર્યા પછી માત્ર આદિ કરીને કે નહીં કરીને આવેલ સાધુ દ્વારા કરાતા ઇરિયાવહિયામાં, કાયાનો નિરોધ જ=કાયોત્સર્ગ જ, પ્રાયશ્ચિત્ત છે, તો અન્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy