SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ પ્રતિદિનક્રિયાવસ્તુક/ ભિક્ષા' દ્વાર / ગાથા ૨૮૬ અન્વયાર્થ : વજયનો સમાયા =કૃતયોગસમાચારવાળા=મળ-મૂત્રાદિરૂપ શરીરના ધર્મો કર્યા છે જેમણે એવા સાધુઓ, ગુસમીવંમિ=ગુરુની સમીપમાં ૩૩i ઉપયોગ કરીને માવસિયાઆવશ્યિકી વડે નોur ચ=અને યોગ વડે મિટ્ટા =ભિક્ષણના અર્થે ભિક્ષા ગ્રહણ માટે, finતી=(વસતિમાંથી) નીકળે છે. ગાથાર્થ : મળ-મૂત્રાદિરૂપ શરીરના ધર્મો કર્યા છે જેમણે એવા સાધુઓ ગુરુ પાસે ઉપયોગને કરીને ‘ગાવશ્યલી' વડે અને “ન ગોગ' વડે ભિક્ષા ગ્રહણ માટે વસતિમાંથી નીકળે છે. ટીકા? कृतयोगसमाचाराः कृतकायिकादिव्यापारा इत्यर्थः उपयोगं-कालोचितप्रशस्तव्यापारलक्षणं कृत्वा गुरुसमीपे आचार्यसन्निधौ ‘आवश्यिक्या'-साधुक्रियाभिधायिन्या हेतुभूतया निर्गच्छन्ति वसतेरिति गम्यते योगेन च 'यस्य योग' इत्येवंवचनलक्षणेन भिक्षार्थमिति गाथासमुदायार्थः ॥२८६॥ ટીકાર્થ : કરાયેલા છે યોગના આચાર જેમના વડે એવા કરાયેલા છે કાયિકાદિના વ્યાપાર જેમના વડે એવા, સાધુઓ ગુરુની સમીપમાં આચાર્યની સંનિધિમાં, કાળને ઉચિત પ્રશસ્ત વ્યાપારના લક્ષણવાળા ઉપયોગને કરીને હેતુભૂત એવી સાધુક્રિયાનું અભિધાન કરનારી “માવલિ ' વડે અને “યસ્થ યોગા' એ પ્રકારના વચનના લક્ષણવાળા યોગ વડે ભિક્ષાના અ=ગોચરી વહોરવા માટે, વસતિમાંથી નીકળે છે, એ પ્રમાણે ગાથાનો સમુદાયાર્થ છે. ભાવાર્થ : ભિક્ષા વહોરવા જતાં વચ્ચે મળ-મૂત્ર આદિની શંકા થાય તો યતનામાં ઉપયોગ રહી શકે નહિ; આથી સાધુ ભિક્ષા માટે જતાં પહેલાં મળ-મૂત્ર આદિની શંકાને અવશ્ય ટાળે. આ રીતે મળ-મૂત્રાદિની શંકા ટાળ્યા પછી ભિક્ષાએ જતાં પહેલાં સાધુએ ઉપયોગની ક્રિયા કરવાની હોય છે, અને આ ક્રિયા ભિક્ષાના કાળને ઉચિત પ્રશસ્ત વ્યાપારરૂપ છે; કેમ કે ઉપયોગની ક્રિયા કરવાથી ભિક્ષા માટે જતાં ભિક્ષાના વિષયમાં સમ્યગુ શુદ્ધિનો ઉપયોગ રહી શકે છે. આથી ગુરુની પાસે ઉપયોગની ક્રિયા કરીને “માસિયા' અને “ન ગો' એ પ્રકારનો વચનપ્રયોગ કરે છે અને ત્યારપછી સાધુઓ ભિક્ષા માટે વસતિમાંથી જાય છે. અહીં ઉપયોગની ક્રિયા ગોચરીમાં જતાં પહેલાં વિશિષ્ટ પ્રકારના માનસને નિષ્પન્ન કરવા માટે સાધુ કરે છે, અને “હું આવશ્યક કાર્ય માટે જાઉં છું” તેવું સૂચન કરવા માટે તેમ જ “અવશ્ય કરવા યોગ્ય કાર્યને હું ઉચિત વિધિપૂર્વક કરીશ,” તેવો સંકલ્પ કરવા માટે‘માવતિ ' એવો વચનપ્રયોગ કરે છે. અને “સંયમને અનુકૂળ એવી જે વસ્તુનો યોગ થશે, તેને હું લાવીશ”, એ પ્રકારનું સૂચન કરવા માટે ‘ન ગોગો' એવો શબ્દપ્રયોગ કરે છે. ૨૮દા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005509
Book TitlePanchvastuk Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy