________________
૦૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૫-૪૬
વિશેષાર્થ :
ભવાભિનંદી જીવોમાં પૂર્વે કહેલા ગુણો હોતા નથી, તેથી તેઓમાં નિર્મલ બુદ્ધિ હોતી નથી અને તેને કારણે ભવની નિર્ગુણતાને પણ તેઓ જાણતા નથી. આમ છતાં આલોક અને પરલોકની આશંસાથી ક્યારેક તેઓ બાહ્ય રીતે ગુરુ સાથે અતિવિનયપૂર્વક વર્તતા હોય અને બાહ્ય રીતે શાસ્ત્ર ભણવાની ક્રિયા પણ વિધિપૂર્વક કરતા હોય, તોપણ તત્ત્વથી તેઓ વિનીત નથી; પરંતુ ભવ નિસ્સાર લાગવાથી ગુણો પ્રત્યે પક્ષપાત થવાને કારણે જેઓ જાણે છે કે આ સંસાર ગુણની નિષ્પત્તિથી જ તરી શકાય છે, અને તેથી જેઓ ગુણવાન ગુરુના ઉપદેશને સમ્યક્ પરિણમન પમાડવા માટે અત્યંત યત્નશીલ હોય છે, તેઓ જ પ્રકૃતિથી વિનીત છે. તેવા વિનીત જીવો જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને યથાર્થ રીતે ગ્રહણ કરીને સમ્યક્ પરિણમન પમાડી શકે છે; જ્યારે ભવાભિનંદી જીવો તો ગ્રહણ અને આસેવનશિક્ષાને પણ ભૌતિક ફળની પ્રાપ્તિ કરવા અર્થે જ ગ્રહણ કરીને વિપરીત પરિણમન પમાડે છે. || ૪૫ અવતરણિકા :
ગાથા-૪૪ માં કહ્યું કે અયોગ્ય જીવોને પ્રવ્રયા આપવામાં આત્માનો અને પરનો પરિત્યાગ નિયમથી જ થાય છે. તેથી અયોગ્યને દીક્ષા આપવાથી થતો આત્મપરિત્યાગ ગાથા૪૫ માં બતાવ્યો, હવે પરપરિત્યાગ કઈ રીતે થાય છે, તે બતાવે છે
ગાથા :
तस्स वि य अट्टज्झाणं सद्धाभावम्मि उभयलोगेहिं। जीविअमहलं किरियाणाएणं तस्स चाओ त्ति ॥ ४६॥
અન્વયાર્થ :
મા =અને શ્રદ્ધાનો અભાવ હોતે છતે તપ્ત વિ અઠ્ઠાઈi=તેને=અધન્ય દીક્ષિતને, પણ આર્તધ્યાન થાય છે, ૩મયત્નોસ્ટિં નવિમહત્ન= (તેથી) ઉભયલોકમાં (તેનું) જીવિત અફલ છે. ત્તિ =એથી કરીને વિરિયUTIOf=ક્રિયાના જ્ઞાતથી તસ્ય તેનો=અધન્ય શિષ્યનો, વસો ત્યાગ છે. ગાથાર્થ :
અને શ્રદ્ધાનો અભાવ હોતે છતે અયોગ્ય દીક્ષિતને પણ આર્તધ્યાન થાય છે, તેથી ઉભયલોકમાં તેનું જાવિત અકલ છે. એથી કરીને વેધક્રિયાના દાંતથી અયોગ્ય શિષ્યનો ત્યાગ છે. ટીકા :
तस्यापि च अधन्यस्याशिक्षायां प्रवर्त्तमानस्य आर्तध्यानम् इत्यार्तध्यानं भवति । किमित्यत आह-श्रद्धाभावे सति, श्राद्धस्य हि तथा प्रवर्त्तमानस्य सुखं, नेतरस्य, ततश्च उभयलोकयोः इह लोके परलोके च जीवितमफलं तस्य, इह लोके तावद्भिक्षाटनादियोगात् परलोके च कर्मबन्धात्, क्रियाज्ञातेन इति वैद्यक्रियोदाहरणेन, तस्य त्याग इति अनेन प्रकारेण परपरित्याग इति गाथार्थः ॥४६॥ * “તથાપિ' માં “મપિ' દ્વારા એ જણાવવું છે કે ગુરુને તો આર્તધ્યાન થાય છે જ, પરંતુ તેને પણ = અયોગ્ય શિષ્યને પણ, આર્તધ્યાન થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org