SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કેભ્યઃ' દ્વાર ) ગાથા ૪૫ ગાથા : अविणीओ न य सिक्खइ सिक्खं पडिसिद्धसेवणं कुणइ। सिक्खावणेण तस्स हुसइ अप्पा होइ परिचत्तो॥४५॥ અન્વયાર્થ : વિગો ય = અને અવિનીત સિવવું ન સિવ+ = શિક્ષાને શીખતો નથી, પસિદ્ધસેવા = પ્રતિષિદ્ધનું સેવન કરે છે, તે સિવાવ = તેના = અવિનીતના, શિક્ષાપનથી મM=આત્મા = શિક્ષાપન કરનાર ગુરુ પોતે, સ = સદા પરિવત્તો રોઙ =પરિત્યક્ત થાય છે. + ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ : અને અવિનીત સાધુ ગ્રહણ અને આસેવનારૂપ શિક્ષાને શીખતો નથી, પ્રતિષિદ્ધનું સેવન કરે છે, અવિનીતના શિક્ષાપનાથી ઉપદેશ આપનાર ગુરુનો આત્મા સદા પરિત્યક્ત થાય છે. ટીકા : अविनीत इति सह्यधन्यः प्रव्रजितः प्रकृत्यैवाविनीतो भवति, न च शिक्षति शिक्षा ग्रहणासेवनारू पां, प्रतिषिद्धसेवनं करोति-अविहितानुष्ठाने च प्रवर्त्तते, प्रतीतशिक्षणेन तस्य इत्थंभूतस्य सदा-सर्वकालम् आत्मा भवति परित्यक्तः अविषयप्रवृत्तेरिति गाथार्थः ॥ ४५ ॥ ટીકાર્ય : અવિનીતeખરેખર ! તે અન્ય પ્રવ્રજિત=પૂર્વગાથાના અંતે બતાવ્યો તે અન્ય દીક્ષા લીધેલો જીવ, પ્રકૃતિથી જ અવિનીત થાય છે. અને ગ્રહણ-આસેવનારૂપ શિક્ષાને શીખતો નથી અને પ્રતિષિદ્ધનું સેવન કરે છે=અવિહિત અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. તેને આવા પ્રકારનાને=અવિનીત પ્રવ્રુજિતને, પ્રતીતના શિક્ષણ વડે પ્રતીત એવી ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા શીખવાડવા વડે, અવિષયમાં પ્રવૃત્તિ હોવાથી સદા=સર્વકાળ, આત્મા ત્યજાયેલો થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં બતાવેલા દીક્ષાયોગ્ય ગુણો જેનામાં નથી તેવો જીવ દીક્ષા માટે અયોગ્ય છે, છતાં તેના જીવને પ્રવ્રયા આપવામાં આવે તો, પ્રકૃતિથી અવિનીત હોવાથી તે જીવ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા ગ્રહણ કરતો નથી અને શાસ્ત્રમાં જે પ્રતિષિદ્ધ છે તેનું સેવન કરે છે. આવા અયોગ્ય શિષ્યને શિક્ષા શીખવાડવા માટે જે ગુરુ પ્રયત્ન કરે છે, તે ગુરુએ અવિષયમાં પ્રવૃત્તિ કરેલ હોવાથી તે ગુરુની તે પ્રવૃત્તિ અનુચિત બને છે અને તેવી અનુચિત પ્રવૃત્તિથી તે ગુરુએ પોતાના આત્માને હિતમાં પ્રવર્તાવવાનો યત્ન છોડી દીધો છે તેવો અર્થ ફલિત થાય છે; કેમ કે ઉચિત પ્રવૃત્તિ કરવાથી હિતમાં યત્ન થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy