________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૦-૪૧
ટીકાર્થ :
મોહતરુ = તરુની જેમ અશુભ પુષ્પ અને ફલના દાનના ભાવથી મોહ એ મોહતરુ છે. અનાદિ ભવની ભાવનાથી વિસ્તરેલ મૂલવાળો = અનાદિમાન વિષયની સ્પૃહાદિ જે સંસારની ભાવનાઓ તેઓ વડે વ્યાપેલ છે મૂલ જેનું એવો, મોહરૂપો તરુ અતિ ગુરુ છે અતિ રૌદ્ર છે; અને જે કારણથી આમ છે, આથી અત્યંત અપ્રમત્તો વડે દુઃખે ઉન્મૂલન કરાય છે=દૂર કરાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
=
મોહરૂપી વૃક્ષ અત્યંત ભયંકર છે. જેમ વૃક્ષ, પુષ્પો અને ફળો આપે છે, તેમ મોહ અશુભ પુષ્પો અને અશુભ ફળો આપે છે, માટે અહીં મોહને વૃક્ષની ઉપમા આપી છે અને આ મોહરૂપી વૃક્ષનાં મૂળિયાં સંસારને વધારનારી એવી વિષયોની આકાંક્ષા વગેરે અશુભ ભાવનાઓથી વ્યાપેલાં છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો પણ બહુ જ મુશ્કેલીથી મોહરૂપી વૃક્ષનાં મૂળિયાં ઉખેડી શકે છે. ૪૦ II
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે અત્યંત અપ્રમત્ત જીવો વડે મોહરૂપી વૃક્ષ દુ:ખે કરીને ઉન્મૂલન કરી શકાય છે. તેથી કેવા જીવો અત્યંત અપ્રમાદ કરી શકે છે ? તે બતાવતાં કહે છે
ગાથા :
૫
संसारविरत्ताण य होइ तओ न उण तयभिनंदीणं । जिणवयणं पि न पायं तेसिं गुणसाहगं होइ ॥ ४१॥
અન્વયાર્થ :
તો ય = અને આ = અપ્રમાદ, સંસારવિરત્તાળ હોફ = સંસારથી વિરક્તોને હોય છે, તેમિનવીનું ૩૫ ન = પરંતુ તેના = સંસારના, અભિનંદીઓને નહીં. તેમિ ખિળવવાં વિ પાયં મુળસાહમાં ન હોફ = તેઓને સંસારાભિનંદીઓને, જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી.
ગાથાર્થ :
અને અપ્રમાદ સંસારથી વિરક્તોને હોય છે, પરંતુ સંસારના અભિનંદીઓને નહીં. સંસારના અભિનંદીઓને જિનવચન પણ પ્રાયઃ ગુણસાધક થતું નથી.
ટીકા :
Jain Education International
संसारविरक्तानां च भवति तक इति असौ अप्रमादः, न पुनः तदभिनन्दिनां, जिनवचनाद् भविष्यतीति चेत्; एतदाशङ्क्याह-जिनवचनमपि आस्तां तावदन्यत् न प्रायस्तेषां संसाराभिनन्दिनां, गुणसाधकं भवति = शुभनिर्वर्त्तकं भवतीति गाथार्थः ॥ ४१ ॥
For Personal & Private Use Only
www.jainelibrary.org