SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Sજ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૯-૪૦ ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું સ્થિર આલંબન હોય છે અર્થાત્ ભવથી વિરક્ત થયેલ જીવોની મનોવૃત્તિ પ્રાયઃ કરીને બાહ્ય વિષયોમાં ઉત્સુકતાવાળી હોતી નથી, તેથી તત્ત્વના બોધપૂર્વક વ્રતોની ઉચિત ક્રિયાઓનું દઢ આલંબન લઈને તેઓ પોતાના ગુણોને ખીલવી શકે છે. આવા જીવો દીક્ષા ગ્રહણ કર્યા પછી વૈરાગ્યભાવપૂર્વક સદા સંયમની વૃદ્ધિ કરે છે, માટે બહુગુણસંપન્ન અને ભવથી વિરક્ત થયેલા જીવોને દીક્ષા આપવી જોઇએ. અહીં પ્રશ્ન થાય કે જેના દ્વારા સંયમ પ્રગટે છે તે સ્થિર આલંબન પ્રવ્રજ્યા છે કે ભવનો વૈરાગ્ય ? વાસ્તવિક રીતે અહીં સ્થિર આલંબનરૂપે પ્રવ્રજયાનું કે ભવવૈરાગ્યનું ગ્રહણ કરવાનું નથી, પરંતુ ભવથી વિરક્ત થયેલા જીવો સંયમના ઉપાયોનું દઢ આલંબન ગ્રહણ કરીને પ્રવૃત્તિ કરી શકે છે. આથી તેઓ અતિદુષ્કર પણ ભાવપ્રવ્રજયા નિષ્પન્ન કરી શકે છે. / ૩૯ ! અવતરણિકા : दुष्करत्वनिबन्धनमाहઅવતરણિકાર્ય : દુષ્કરત્વના નિબંધનને = પ્રવ્રજ્યામાં રહેલ દુષ્કરપણાના કારણને, કહે છે ગાથા : अइगुरु ओ मोहतरू अणाइभवभावणाविअयमूलो। दुक्खं उम्मूलिज्जइ अच्चंतं अप्पमत्तेहिं ॥४०॥ અન્વયાર્થ : મોહતરૂ = મોહરૂપ તરુ મUISમવમવધવિપ્રથમૂનો = અનાદિ ભવની ભાવનાઓથી વિતત મૂલવાળો મયુરો = અતિ ગુરુ છે. (આથી) સવંત અપ્પમર્દિ મૂનિ = અત્યંત અપ્રમત્તો વડે દુઃખે ઉમૂલન કરાય છે. ગાથાર્થ : મોહરૂપી વૃક્ષ અનાદિ કાળથી ભવની ભાવનાઓથી વ્યામ મૂલવાળું અતિ રોદ્ર છે. આથી અત્યંત અપ્રમત્ત જીવો વડે દુખે કરીને ઉમૂલન કરાય છે. ટીકા : अतिगुरुः = अतिरौद्रः, मोहतरुः = मोहस्तरुरिवाशुभपुष्पफलदानभावेन मोहतरुः, अनादिभवभावनाविततमूलः = अनादिमत्यो याः संसारभावना विषयस्पृहाद्यास्ताभिर्व्याप्तमूलः, यतश्चैवमतो दुःखमुन्मूल्यते = अपनीयते अत्यन्तमप्रमत्तैरिति गाथार्थः ॥ ४०॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy