________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૯
૬૩ અન્વયાર્થ :
વંવિહાપા મવવિરત્તા પવૅબ્બા રે=આવા પ્રકારના ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રયા આપવી જોઈએ; નં=જે કારણથી અત્યંતવૃંદર=(પ્રવ્રજયા) અત્યંત દુષ્કર છે. (પ્રવ્રજયા અત્યંત દુષ્કર હોય તો ભવથી વિરક્ત જીવોને કેમ અપાય છે ? તેથી કહે છે-) રૂ િa fથર માનંવVi=અને આમનું = ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું, સ્થિર આલંબન છે. ગાથાર્થ :
પૂર્વમાં બતાવ્યું એવા પ્રકારના બહુગુણસંપન્ન, ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવજ્યા આપવી જોઇએ; જે કારણથી પ્રવજ્યા અત્યંત દુષ્કર છે. અહીં પ્રશ્ન થાય કે ભવથી વિરક્ત ચિત્તવાળાને પ્રવજ્યા કેમ અપાય છે? તેથી કહે છે- ભવથી વિરક્ત ચિત્તવાળાઓનું સ્થિર આલંબન છે. ટીકા :
एवंविधेभ्यो बहुगुणसम्पन्नेभ्यो देया दातव्या प्रव्रज्या-दीक्षा भवविरक्तचित्तेभ्यः= संसारविरक्तचित्तेभ्यः, किमित्यत्राह-अत्यंतदुष्करा यत्-यस्मात् स्थिरं चालम्बनममीषां भवविरक्तचित्तानाम्, अमी सदा वैराग्यभावेन ફર્વતીતિ થાર્થઃ રૂ૫ રે
ટીકાર્ય :
ભવથી વિરક્ત છે ચિત્ત જેમનું એવા = સંસારથી વિરાગ પામેલ ચિત્તવાળા, આવા પ્રકારના = પૂર્વમાં બતાવ્યા એવા પ્રકારના, ઘણા ગુણોથી સંપન્ન જીવોને પ્રવ્રજ્યા = દીક્ષા, આપવી જોઈએ. પ્રવજ્યા આવાને કેમ આપવી જોઈએ? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી દીક્ષા અત્યંત દુષ્કર છે, અને આમનું = ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોનું, સ્થિર આલંબન હોય છે, આથી આ = ભવથી વિરક્ત ચિત્તવાળા જીવો, હંમેશાં વૈરાગ્ય ભાવથી કરે છે = પ્રવ્રજ્યા પાળે છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં બતાવેલા અનેક ગુણોથી યુક્ત એવા ભવવિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવજ્યા આપવી જોઇએ, એ પ્રકારનું કથન, પૂર્વે પ્રવ્રયાયોગ્ય જીવોના ગુણોનું વર્ણન કર્યું હતું તેના નિગમનરૂપ છે. અહીં પ્રશ્ન થાય કે બહુગુણોથી યુક્ત અને ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રયા આપવાનું કેમ કહ્યું? તેથી કહે છે
જે કારણથી પ્રવ્રજ્યાનું પાલન અત્યંત દુષ્કર છેઃ આનાથી એ કહેવું છે કે પ્રવ્રજ્યા એ વ્રતો ઉચ્ચરાવવાની ક્રિયામાત્રરૂપ નથી કે વ્રતો ઉચ્ચરાવ્યા પછી સાધ્વાચારની ક્રિયા કરવામાત્રરૂપ પણ નથી; પરંતુ પ્રવ્રયાની ક્રિયા ગુણસંપન્ન જીવોમાં વર્તતા ગુણવિશેષને ખીલવવા માટે સુદઢ યત્નરૂપ છે. આથી પ્રવ્રજયા અત્યંત દુષ્કર છે, તેથી અલ્પસત્ત્વવાળા જીવો પ્રવ્રયા ગ્રહણ કરીને પણ હિતને સાધી શકતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે તો પછી ભવથી વિરક્ત ચિત્તવાળા જીવોને પ્રવ્રજયા આપવાનું કેમ કહ્યું? તેથી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org