SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ' ' પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૦-૩૮ ગાથાર્થ : કાલપરિહાણિના દોષને કારણે પૂર્વમાં દીક્ષા લેનારના જે ગુણો બતાવ્યા, એનાથી એકાદ ગુણથી વિહીન હોવા છતાં પણ જેઓ બહુગુણસંપન્ન હોય તેઓ પ્રવસ્થાને યોગ્ય જ્ઞાતવ્ય થાય છે. ટીકા : कालपरिहाणिदोषात् अतः अनन्तरोदितगुणगणान्वितेभ्यः, एकादिगुणविहीना अपि ये बहुगुणसम्पन्नास्ते योग्या भवन्ति ज्ञातव्याः प्रव्रज्याया इति गाथार्थः॥ ३७॥ ટીકાર્ય : કાલની પરિહાણિરૂપ દોષને કારણે, આનાથી=અનંતરોદિત ગુણગણ વડે અન્વિતથી=પૂર્વે કહેવાયેલ ગુણના સમૂહથી યુક્ત જીવો કરતાં, એક વગેરે ગુણથી રહિત પણ જેઓ ઘણા ગુણોથી સંપન્ન છે તેઓ પ્રવ્રજયાને યોગ્ય જ્ઞાતવ્ય થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. તે ૩૭ / અવતરણિકા : ગાથા-૩ર થી ૩૭ ના કથન દ્વારા એ પ્રાપ્ત થયું કે ૧૬ ગુણોથી યુક્ત અથવા એકાદ ગુણથી વિહીન પણ બહુગુણસંપન્ન જીવો પ્રવજ્યા ગ્રહણ કરવા માટે યોગ્ય છે. તેથી શંકા થાય કે દીક્ષા લેવા માટે આટલા બધા ગુણો કેમ અપેક્ષિત છે? અને મનુષ્યત્વાદિ ધર્મવાળા જીવોને દીક્ષા માટે યોગ્ય સ્વીકારવામાં શું વાંધો? કેમ કે ગુણ વગરના જીવોને ગુણસંપન્ન કરવા અર્થે જ દીક્ષા છે, તેથી મનુષ્યત્વાદિ ધર્મવાળા જીવો સંયમમાં યત્ન દ્વારા ગુણસંપન્ન બની શકે છે. આ પ્રકારની શંકાના નિરાકરણ અર્થે ગ્રંથકાર કહે છેગાથા : न उमणुअमाइएहिं धम्मेहिं जुए त्ति एत्तिएणेव । पायं गुणसंपन्ना गुणपगरिससाहगा जेणं ॥ ३८ ॥ અન્વચાઈ ? મજુમમાફર્દિક ખેfë = વળી મનુજાદિ ધર્મોથી નુપ = યુક્ત છે ત્તિ ઉત્તવ = એટલાથી જ == (યોગ્ય) નથી; f = જે કારણથી પાયં મુસંપન્ના /પરિસાદ = પ્રાયઃ ગુણસંપન્ન (જીવો) ગુણના પ્રકર્ષના સાધક થાય છે. ગાથાર્થ : વળી મનુષ્યાદિ ધર્મોથી યુક્ત છે એટલાથી જ જીવો પ્રવજ્યા માટે યોગ્ય થતા નથી; જે કારણથી પ્રાયઃ ગુણસંપન્ન જીવો ગુણના પ્રકર્ષને સાધનારા બને છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy