________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૩૨ થી ૩૬
૫૯
ટીકાર્ય
પ્રવ્રયાને અઈ = યોગ્ય, જીવો કોણ છે? એથી કહે છે- જેઓ આર્યદેશમાં = સાડા પચ્ચીસ જનપદોમાં, ઉત્પન્ન થયેલા છે; જતિ અને કુલ વડે વિશિષ્ટ છે, માતાથી ઉત્પન્ન થયેલી જાતિ છે, પિતાથી ઉત્પન્ન થયેલું કુલ છે; તથા ક્ષીણપ્રાયઃ કર્મમલવાળા છે = અલ્પકર્મવાળા છે; અને તેનાથી = કર્મમલ ક્ષીણપ્રાયઃ થવાથી, વિમલ બુદ્ધિવાળા છે; અને વિમલ બુદ્ધિ હોવાથી જ, “ભવસમુદ્રમાં = સંસારરૂપી સમુદ્રમાં, મનુજપણું દુર્લભ છે તથા જન્મ મરણના નિમિત્તવાળું છે અને સંપત્તિઓ ચપળ છે અને વિષયો દુ:ખના હેતુ છે તથા સંયોગ હોતે છતે નિયમથી વિયોગ થાય છે, પ્રતિસમય જ આવીચિને આશ્રયીને મરણ છે અને અહીં = પરભવમાં, કર્મોના વિપાક અતિરૌદ્ર છે.” આ રીતે પ્રકૃતિથી જ = સ્વભાવથી જ, જણાયેલ છે સંસારનો નિર્ગુણ સ્વભાવ જેમના વડે એવા છે; અને તે નિર્ગુણપણાના અવગમથી સંસારથી વિરક્ત છે; પાતળા કષાયોવાળા છે અને અલ્પ હાસ્યવાળા છે, હાસ્યનું ગ્રહણ રતિ આદિના ઉપલક્ષણવાળું છે; સુકૃતજ્ઞ છે = કરેલાને સારી રીતે જાણનારા છે; વિનીત છે = વિનયવાળા છે; રાજા વગેરેની વિરુદ્ધ નહીં કરનારા છે; અને ૨ શબ્દથી રાજા વગેરેને બહુમત છે, “નાવીન' માં માત્ર શબ્દથી અમાત્ય વગેરેનો પરિગ્રહ છે; કલ્યાણ અંગવાળા છે; શ્રાદ્ધ છે=શ્રદ્ધાવાળા છે; સ્થિર છે તથા સમુપસંપન્ન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
(૧) આર્યદેશમાં જન્મેલ : સાડા પચ્ચીસ આર્યદેશ પૈકી કોઈપણ આર્યદેશમાં જેનો જન્મ થયો હોય.
(૨) જતિ-કુલથી વિશિષ્ટ : માતૃપક્ષથી ઊઠેલી જાતિ છે, પિતૃપક્ષથી ઊઠેલું કુલ છે, માતાની જાતિ અને પિતાનું કુલ, એ બંને જેનાં વિશિષ્ટ હોય.
(૩) લઘુકર્મી : જેનો કર્મમલ લગભગ ક્ષીણ જેવો થઈ ગયો હોય અર્થાત્ ચારિત્રમાં વિઘ્ન કરનારાં સંક્લિષ્ટ કર્મો જેનાં ઘણાં ખપી ગયાં હોય.
(૪) વિમલબુદ્ધિ : કર્મનો ક્ષય થવાથી જ જેની બુદ્ધિ નિર્મલ હોય = આત્મકલ્યાણના જ ધ્યેયવાળી હોય.
(૫) સંસારની અસારતાને જાણનાર : નિર્મલ બુદ્ધિ હોવાથી જ “સંસારરૂપી સમુદ્રમાં મનુષ્યભવ દુર્લભ છે, જન્મ એ મરણનું કારણ છે, સંપત્તિ અનિત્ય છે, વિષયસુખો દુઃખનું કારણ છે, જેનો સંયોગ થાય તેનો અવશ્ય વિયોગ થાય છે અર્થાત્ સંયોગ વિયોગનું કારણ છે, પ્રતિસમય આયુષ્ય ઘટવારૂપ મૃત્યુ થયા કરે છે, પરભવમાં કર્મોનું ફળ અત્યંત ભયંકર છે;” આ રીતે સ્વાભાવિકપણે જ જેણે અસારતારૂપ સંસારનો સ્વભાવ જામ્યો હોય અર્થાત્ નિર્મલ બુદ્ધિ હોવાથી ઉક્ત રીતે સંસાર અસાર છે એમ જેને સમજાઈ ગયું હોય.
(૬) સંસારથી વિરક્ત : સંસારની અસારતા જાણવાથી જ જે સંસારથી વિરક્ત હોય. (૭) પ્રતનુ કષાય : જેના ક્રોધાદિ કષાયો અત્યંત મંદ હોય.
(૮) અલ્પ હાસ્ય : જેનામાં હાસ્ય અલ્પ હોય, હાસ્યના ઉપલક્ષણથી રતિ આદિ નોકષાયોના વિકારો જેનામાં અલ્પ હોય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org