SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ટીકા : પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેન' દ્વાર | ગાથા ૩૧ ગીતાર્થી=પૃહીતસૂત્રાર્થ:, તયોગી=તસાધુવ્યાપાર:, ચારિત્રી-શીતવાન, તથા ૨ પ્રાળા ુશત:= क्रियाकलापशिक्षणानिपुणः, अनुवर्त्तकः = स्वभावानुवर्त्तकः = स्वभावानुकूल्येन प्रतिजागरकः, अविषादी ભાવાવસ્તુ, દ્વિતીય:=અપવા:િ, પ્રવ્રાજ્ઞનાચાર્ય:-પ્રવ્રન્યાયો ગુરુશિતિ થાર્થ: ૫રૂશા ટીકાર્થ : ગીતાર્થ = ગ્રહણ કરાયેલા સૂત્ર અને અર્થવાળા, કૃતયોગી=કરાયેલા છે સાધુ સંબંધી વ્યાપાર જેમના વડે એવા, ચારિત્રી = શીલવાળા, અને તે રીતે ગ્રાહણામાં કુશલ=ક્રિયાના સમૂહને શીખવાડવામાં નિપુણ, અનુવર્તક=સ્વભાવના અનુવર્તક=સ્વભાવના અનુકૂલપણાથી પ્રતિજાગરણા કરનારા, ભાવ આપત્તિઓમાં વિષાદ નહીં પામનારા, દ્વિતીય=અપવાદિક, પ્રવ્રાજનના આચાર્ય છે=પ્રવ્રજ્યાને આપનારા ગુરુ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : વર્તમાનકાળના દોષને કારણે પૂર્વમાં વર્ણવાયેલા ૧૭ ગુણોવાળા ગુરુ ન હોય તોપણ, અપવાદથી દીક્ષા આપવાના અધિકારી એવા ગુરુમાં અપેક્ષિત ગુણો બતાવે છે (૧) ગીતાર્થ : જેમણે સૂત્ર અને અર્થો સારી રીતે ગ્રહણ કર્યા છે તેવા ગીતાર્થ ગુરુએ દીક્ષા આપવી જોઇએ. (૨) કૃતયોગી : ગીતાર્થ પણ ગુરુ પોતાના જીવનમાં સાધુના આચારો પાળીને સંપન્ન થયેલા હોવા જોઇએ, તે બતાડવા માટે કૃતયોગી કહેલ છે. (૩) ચારિત્રી : તે ગુરુ પંચમહાવ્રતો રૂપ મૂલગુણમાં સ્થિરતાવાળા હોવા જોઇએ, તે બતાવવા માટે ચારિત્રીનો અર્થ શીલવાન કરેલ છે. (૪) ગ્રાહણાકુશલ : તે ગુરુ શિષ્યોને ક્રિયાઓ સમ્યગ્ રીતે શીખવાડવામાં નિપુણ હોવા જોઇએ, જેથી શિષ્યપરંપરામાં સાધુસામાચારી સમ્યક્ પ્રવર્તે. (૫) અનુવર્તક : તે ગુરુ શિષ્યોના સ્વભાવને જાણીને તેઓને માર્ગમાં પ્રવર્તાવવામાં સમર્થ બની શકે તેવા અનુવર્તક હોવા જોઇએ. (૬) અવિષાદી : વર્તમાનકાળમાં અતિશયજ્ઞાનીનો વિરહ છે, તેથી ઘણા સૂક્ષ્મ પદાર્થોનો ઉચિત નિર્ણય કરવો દુષ્કર હોય છે, જે ભાવ આપત્તિરૂપ છે; અને આવી ભાવાપત્તિ કોઇ સંયોગોમાં ઉપસ્થિત થાય તો જે સાધુ વિષાદ કરે કે હવે આપણે શું કરીશું ? તે સાધુ પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય નથી. પરંતુ ભાવાપત્તિમાં પણ સંયોગ પ્રમાણે ઉચિત ઉપાય શોધવા જે શક્ય પ્રયત્ન કરે, અને અશક્ય દેખાય ત્યાં, તત્ત્વ તુ વત્તિમાં કરીને શક્યમાં યત્ન કરે, તેવા સાધુ ભાવાપત્તિમાં અવિષાદી છે અને આવા અવિષાદી ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy