________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૩૦-૩૧
૫૫
ટીકાર્થ :
કાલની પરિહાણના દોષને કારણે આનાથી = પૂર્વમાં કહેવાયેલ ગુણોના સમૂહથી યુક્ત ગુરુથી, એક વગેરે ગુણોથી રહિત એવા શીલવાળા = શીલથી યુક્ત, અન્યએ પણ = સંપૂર્ણ ગુણોથી યુક્ત ગુરુ કરતાં બીજા ગુરુએ પણ, પ્રવ્રયા આપવી જોઇએ. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
વર્તમાનમાં વિશિષ્ટ જ્ઞાનવાળા ઉત્તમ પુરુષોનો વિરહ છે અને અવસર્પિણી કાળ છે, તેથી જીવોમાં પણ ગુણોની પરિહણિ થાય છે. તે રૂપ કાલના દોષને કારણે વર્તમાનમાં સર્વ ગુણોથી સંપન્ન ગુરુની પ્રાપ્તિ પ્રાયઃ સંભવતી નથી. માટે પૂર્વમાં પ્રવ્રજ્યા આપવા માટે યોગ્ય ગુરુના ૧૭ ગુણો કહ્યા, તેમાંથી એક-બે આદિ ગુણો ઓછા હોવા છતાં શીલયુક્ત હોય તો, તેવા ગુણોવાળા અન્ય ગુરુએ પણ યોગ્ય જીવને પ્રવ્રયા આપવી જોઇએ. . ૩૦ || અવતરણિકા :
विशेषतः कालोचितं गुरुमाहઅવતરણિકાર્ય :
પૂર્વમાં દીક્ષા આપવા યોગ્ય ગુરુના ગુણો બતાવ્યા, ત્યારપછી પૂર્વગાથામાં વર્તમાનકાળના દોષને કારણે અપવાદથી ગુણોમાં કેટલી ન્યૂનતાવાળા ગુરુ દીક્ષા આપી શકે? તે સામાન્યથી બતાવ્યું. હવે વિશેષથી આ કાળને ઉચિત એવા ગુરુના ગુણને કહે છે, જે દીક્ષા આપવા માટે અપવાદથી અધિકારી છે
ગાથા :
गीतत्थो कडजोगी चारित्ती तह य गाहणाकुसलो।
अणुवत्तगोऽविसाई बीओ पव्वावणायरिओ ॥ ३१॥ केणं ति दारं गयं ॥ અન્વયાર્થ :
ગીત=ગીતાર્થ, વનોની કૃતયોગી, વારિત્ત =ચારિત્રી, તદ =અને તે રીતે નાસિનો =ગ્રાહણામાં કુશલ=શિષ્યોને ક્રિયા શીખવાડવામાં નિપુણ, અણુવત્તકો=અનુવર્તક, વિસારૂં=અવિષાદી =ભાવ આપત્તિઓમાં ખેદ નહિ પામનાર, વીમોકબીજા=અપવાદિક, પત્રાવUTTયરોગપ્રવ્રાજનાચાર્ય છે. જેv=“કોના વડે તિ=એ પ્રકારનું વાર=દ્વાર જયંકગયું=પૂરું થયું. ગાથાર્થ :
ગીતાર્થ, કૃતયોગી, ચારિત્રી અને તે રીતે શિષ્યોને ક્રિયા શીખવાડવામાં નિપુણ, અનુવર્તક, ભાવ આપત્તિઓમાં ખેદ નહિ પામનારા, અપવાદિક પ્રવજ્યા આપનારા ગુરુ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org