________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેન' દ્વાર | ગાથા ૨૫
૪૯
ટીકાર્ય :
જ્ઞાનાદિથી યુક્ત એવા તેઓનેeગુરુ-શિષ્યોને, જોઈને, અહીં જ=આ જિનશાસનમાં જ, આવા પ્રકારના છે=જ્ઞાનાદિથી યુક્ત જીવો છે, એ પ્રમાણે ગુણના પક્ષપાતવાળા અન્યોને આ શાસનમાં “આ શાસન ભવ્ય છે, શોભન છે'; એ પ્રકારનો ભાવથી જ અનુરાગ થાય છે. બીજ છે=આ જ અર્થાત અન્યોને જિનશાસનમાં ભાવથી અનુરાગ થાય છે એ જ, સમ્યક્ત અને અપવર્ગનું બીજ છે. વળી કેટલાકને અનુરાગના અતિશયથી શ્રવણ-પ્રવૃત્તિ થાય છે=“અહો! આ શાસન સુંદર છે એથી કરીને કેટલાક જીવો સાંભળે જ છે અને અપરો =અન્ય કેટલાક જીવો, અંગીકાર કરે છે. આ રીતેaઉપરમાં બતાવ્યું એ રીતે, કુશલ સંતાનની પ્રવૃત્તિ થાય છે; તેઓને પણ સંતાનવાળા અન્યોને પણ=કુશલ સંતાનની પ્રવૃત્તિવાળા ગુણના પક્ષપાતી એવા બીજા જીવોને પણ, યથોક્ત થાય છે=જે પ્રમાણે ગાથા-૨૩માં કહેવાયું તે પ્રમાણે વિજ્ઞાનાદિ ગુણોનો લાભ થવાથી પરમપદ જ થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગુરુ શિષ્યોની ઉચિત અનુવર્તન કરે તો શિષ્યોને જ્ઞાનાદિનો લાભ થાય છે. તેથી ગુરુ અને શિષ્યો ઉચિત જ્ઞાન, ઉચિત દર્શન અને ઉચિત પ્રવૃત્તિવાળા બને છે અને આવા ઔચિત્યમય ગુરુ-શિષ્યોને જોઇને ગુણના પક્ષપાતી અન્ય જીવોને “આ જૈનશાસન શોભન અને ભવ્ય છે” એ પ્રકારનો જૈનશાસનમાં ભાવથી જ અનુરાગ થાય છે.
અહીં “શોભન અને “ભવ્ય' એ બે શબ્દ દ્વારા જિનશાસન પ્રત્યે અન્ય જીવોને થતા રાગની અતિશયિતા બતાવવી છે, અને ભાવથી જ અનુરાગ થાય છે એ વાક્યનું તાત્પર્ય એ છે કે ઔચિત્યમય ગુરુ-શિષ્યોને જોઇને, “આ લોકોત્તમ શાસન છે કે જે શાસનમાં આવા વિવેકવાળો જીવો વર્તે છે” એ પ્રકારના ચિત્તના પ્રતિબંધથી ભગવાનના શાસન પ્રત્યે વિશિષ્ટ અનુરાગ થાય છે, જે અનુરાગ સમ્યક્ત્વનું અને મોક્ષનું બીજ છે.
વળી, ગુણના પક્ષપાતી એવા કેટલાક જીવોને શાસનના અનુરાગના અતિશયથી મહાત્માઓ પાસે તત્ત્વ સાંભળવાનો અભિલાષ થાય છે, જેથી તેઓ મહાત્મા પાસે જૈનશાસનનાં તત્ત્વો સાંભળે છે, અને કેટલાક જીવો જૈનશાસનને અંગીકાર પણ કરે છે. આમ, ગુરુની અનુવર્તનાથી શિષ્યોને તો લાભ થાય છે જ, પરંતુ અન્ય જીવોને પણ કુશલની પરંપરાની પ્રાપ્તિ થાય છે, અને અંતે પરમપદ પ્રાપ્ત થાય છે. તે આ રીતે
ગુણના પક્ષપાતી એવા કેટલાક જીવોને જૈનશાસનમાં રહેલ ગુરુ-શિષ્યોના ઉચિત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ ગુણોને જોઈને જૈનશાસન પ્રત્યે અનુરાગ પેદા થાય છે અને કેટલાક જીવો જિનશાસન પ્રત્યે થયેલ અતિશય અનુરાગને કારણે જૈનશાસનનું તત્ત્વ સાંભળે છે, તેથી તેઓને વિશેષ જ્ઞાન થાય છે અને પછી જૈનધર્મ સ્વીકારે છે, અને ક્રમે કરીને સંયમ ગ્રહણ કરે છે અને ગુરુ પાસે રહીને વિશેષ જ્ઞાનાદિ મેળવીને તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. આ સર્વની પ્રાપ્તિ અનુવર્તક ગુરુ દ્વારા યોગ્ય શિષ્યોને કરાયેલી અનુવર્તનાથી થાય છે. જે ૨૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org