________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૨૧ થી ૨૩
૪૫
ભાવાર્થ :
ગાથા-૨૦ માં બતાવ્યું કે શિષ્યના અનનુપાલનથી ગુરુને શાસનના પ્રત્યેનીક બનવારૂપ દોષ પ્રાપ્ત થાય છે અને તે ગુરુ શાસનના પ્રત્યેનીક કઈ રીતે બને છે, તે બતાવવા માટે ગાથા-૨૧-૨૨ માં કહ્યું કે અનુવર્તનાના અભાવને કારણે અનુચિત પ્રવૃત્તિ કરવાથી શિષ્યો પણ શિષ્ટ પુરુષો દ્વારા નિંદાપાત્ર બને છે અને વિરુદ્ધ આચરણાને કારણે પરભવમાં પણ અનર્થોની પ્રાપ્તિ કરે છે. તેથી શિષ્યોને આલોક અને પરલોકમાં જે અનર્થો પ્રાપ્ત થાય છે અને શિષ્યોની અનુચિત પ્રવૃત્તિથી શાસનની જે પ્લાનિ થાય છે તે ગુરુના નિમિત્તે છે. તેથી ગુરુ શાસનના પ્રત્યેનીક થાય છે. / ૨૧/૨૨ અવતરણિકા :
अनुवर्तकस्य तु गुणमाह - અવતરણિતાર્થ :
વળી, અનુવર્તક ગુરુના ગુણને=લાભને, કહે છે
ગાથા :
जो पुण अणुवत्तेई गाहइ निप्फायई अविहिणा उ।
सो ते अन्ने अप्पाणयं च पावेइ परमपयं ॥ २३ ॥ અન્વયાર્થ : | નો પુનઃવળી, જે (શિષ્યોને) મધુવર્ર–અનુવર્તે છે, પટ્ટ=(ક્રિયાને) ગ્રહણ કરાવે છે faT ૩ = અને વિધિ વડે જ નિર્ણય = નિષ્પાદન કરે છે = જ્ઞાન-ક્રિયા દ્વારા શિષ્યોને નિષ્પન્ન કરે છે, સોગતે (ગુરુ) તેeતેઓનેeતે શિષ્યોને, મન્ને=અન્યોને=બીજા જીવોને, પ્યાપાચં ચં=અને આત્માને પરમપયે પા =પરમપદ પ્રાપ્ત કરાવે છે. * ‘' ઈશ્વ કારમાં છે.
ગાથાર્થ :
વળી, જે ગુરુ શિષ્યોની અનુવર્તન કરે છે, ક્રિયાને ગ્રહણ કરાવે છે અને શાસ્ત્રમાં કહેવાયેલ વિધિપૂર્વક જ જ્ઞાન-ક્રિયા દ્વારા શિષ્યોને નિષ્પન્ન કરે છે, તે ગુરુ તે શિષ્યોને, બીજા જીવોને અને પોતાના આત્માને પરમપદ પ્રાપ્ત કરાવે છે અથતિ મોક્ષમાં લઇ જાય છે. ટીકા :
यः पुनरनुवर्तते स्वभावानुकूल्येन हिते योजयति, ग्राहयति क्रियां, निष्पादयति च ज्ञानक्रियाभ्यां विधिना -आगमोक्तेन, स गुरुः तान् शिष्यान् अन्यान् प्राणिनः आत्मानं च प्रापयति परमपदं नयति मोक्षमिति થઈ: ૨૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org