SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ 3 . પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેના દ્વાર | ગાથા ૧૫ ગાથાર્થ : - ગુણરૂપી રત્નના સમુદ્ર જેવા આવા પ્રકારના ગુરુમાં નિયમથી નવદીક્ષિતોને ભક્તિ અને બહુમાન થાય છે, અને ભક્તિ-બહુમાન થવાથી ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. ટીકા : भक्तिबहुमानौ इति भक्तिर्बाह्यविनयरू पा बहुमानो भावप्रतिबन्धः, एतौ भवतः शिक्षकाणां = अभिनवप्रव्रजितानामिति योगः, क ? इत्याह- ईदृशि = एवंभूते गुरौ = आचार्ये नियमात् = नियमेन, पुनरपि स एव विशिष्यते-गुणरत्नजलधौ गुणरत्नसमुद्र इति, ततः श्रद्धा स्थिरता च चरणे भवति इति; तथाहिगुरु भक्तिबहुमानभावत एव चारित्रे श्रद्धा स्थैर्यं च भवति नान्यथेति गाथार्थः ॥१५॥ ટીકાર્ય : શિક્ષકોને = અભિનવ પ્રવ્રજિતોને = નવદીક્ષિતોને, ભક્તિ અને બહુમાન થાય છે = બાહ્ય વિનયરૂપ ભક્તિ છે અને ભાવથી પ્રતિબંધરૂપ બહુમાન છે, આ બે થાય છે. ક્યાં? એથી કહે છે આવા પ્રકારના ગુરુમાં = આવા પ્રકારના આચાર્યમાં, નિયમથી = નિયમ વડે, આ બે થાય છે. ફરી પણ તે જ = ગુરુ જ, વિશેષાય છે = વિશેષ પ્રકારે બતાવાય છે. ગુણરૂપ રત્નના જલધિ = ગુણરૂપ રત્નના સમુદ્ર, એવા ગુરુમાં શિષ્યોને ભક્તિ અને બહુમાન થાય છે અને તેનાથી ચરણમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે. તે તથાદિથી સ્પષ્ટ કરે છે. ગુરુમાં ભક્તિ અને બહુમાનના ભાવથી જ ચારિત્રમાં શ્રદ્ધા અને ધૈર્ય થાય છે, અન્ય રીતે નહીં. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વમાં વર્ણવેલા ગુણોરૂપી રત્નોના સાગર જેવા ગુનો યોગ થતાં નૂતન દીક્ષિત શિષ્યોને ગુરુ પ્રત્યે અવશ્ય ભક્તિ અને બહુમાન પ્રગટે છે અને ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાન પ્રગટવાથી શિષ્યોને ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા થાય છે; કારણ કે ચારિત્રમાં શ્રદ્ધા અને સ્થિરતા ગુરુ પ્રત્યે ભક્તિ અને બહુમાનભાવ વગર થતી નથી. - ભક્તિ એટલે વિનય આદિ બાહ્યપ્રવૃત્તિ, બહુમાન એટલે ગુરુ પ્રત્યેનો ભાવથી પ્રતિબંધ અને ભાવપ્રતિબન્ધ એટલે ગુરુના ગુણોને જોઇને શિષ્યને થતો તેમના પ્રત્યેનો ચિત્તનો પ્રતિબન્ધ, ગુરુ પ્રત્યેનો લગાવ, અર્થાત્ આંતરિક અનુરાગ. વિશેષાર્થ : ગુણવાન ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન તેને થાય કે જેને ગુણો પ્રત્યે તીવ્ર પક્ષપાત હોય. તેથી ગુણ પ્રત્યેના તીવ્ર પક્ષપાતવાળા શિષ્યને ગુણવાન ગુરુની ચારિત્રની પ્રવૃત્તિ રુચે છે, આથી તે શિષ્યને ચારિત્ર પ્રત્યે શ્રદ્ધા થાય છે અને ગુણવાન ગુરુની ઉચિત પ્રવૃત્તિ જોઇને શિષ્યને દુષ્કર એવી ચારિત્રની પ્રવૃત્તિ કરવામાં સ્થિરતા આવે છે; કેમ કે ગુણવાન ગુરુમાં રહેલી ઉચિત પ્રવૃત્તિ જોઇને શિષ્યના હૈયામાં વર્તતો બહુમાનભાવ તેને ચારિત્રના પરિણામમાં સ્થિર કરે છે. પરંતુ જે શિષ્યને આવા ગુરુ પ્રત્યે ભક્તિ-બહુમાન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy