________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેન' દ્વાર | ગાથા ૧૦ થી ૧૩
૩૩ પછી શાસ્ત્રો ભણવાને કારણે વિશેષ પ્રકારનો નિર્મલ બોધ થાય છે, તેથી સાધુ વસ્તુતત્ત્વને જાણનાર બને છે, અર્થાત સંસારની નિર્ગુણતાને વિશેષરૂપે જાણે છે અને મોક્ષ અને મોક્ષના ઉપાયોને સૂક્ષ્મ રીતે જાણે છે. અર્થાત્ કયા દેશ-કાળમાં કઈ રીતે યત્ન કરીને મોક્ષ સાધવો જોઇએ, તે વિશેષ રીતે જાણે છે. આવા વતત્ત્વના જાણનાર ગુરુને પ્રવ્રયા આપવાનો અધિકાર છે. ટીકા :
उपशान्तः क्रोधविपाकावगमेन, प्रवचनवात्सल्ययुक्तश्च प्रवचनमिह सङ्घः सूत्रं वा तद्वत्सलभावयुक्त રૂતિ ગાથાર્થ: શા
ટીકાર્ય :
ક્રોધના વિપાકના અવગમથી = બોધથી, ઉપશાન્ત અને પ્રવચન પ્રત્યે વાત્સલ્યથી યુક્ત = પ્રવચન અહીં સંઘ કે સૂત્રરૂપ છે તેના વત્સલભાવથી યુક્ત, અર્થાત ચતુર્વિધ સંઘમાં ગુણિયલ આત્માઓ પ્રત્યે અને ભગવાનના વચનરૂપ સૂત્રો પ્રત્યે રાગભાવવાળા હોવાથી સંઘનું કંઈ અહિત ન થાય તે માટે યત્ન કરનારા અને ભગવાનના વચનરૂપ સૂત્રની વિરુદ્ધ કથન નહિ કરનારા ગુરુ, દીક્ષા આપવા માટે યોગ્ય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ૧૧૫ ટીકા :
सत्त्वहितरतश्च = सामान्येनैव जीवहिते सक्तश्च, ટીકાર્ય :
અને સત્ત્વના હિતમાં રત=સામાન્યથી જ જીવોનું હિત કરવામાં આસક્ત, ભાવાર્થ :
વળી દીક્ષા આપવા માટે યોગ્ય ગુરુ સામાન્ય રીતે જ જીવના હિતમાં રસ દાય અર્થાત્ જૈનશાસનમાં રહેલા જીવો, જૈનશાસનની બહાર રહેલા જીવો અને પૃથ્વીકાયાદિ જીવો; એમ સર્વ જીવોનું હિત કરવાની મનોવૃત્તિવાળા હોય.
આમ છતાં, પૃથ્વીકાયાદિ જીવોનું હિત, તેમને થતી પીડાના પરિવારમાં કરાતા યત્નથી જ થઇ શકતું હોવાથી પૃથ્વીકાયાદિ જીવોના હિત માટે તેટલો યત્ન કરનારા હોય છે, જયારે અન્ય સંસારી જીવોમાંથી માર્ગનો બોધ કરી શકે તેવા જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવવામાં યત્ન કરવા દ્વારા, અને શરણે આવેલા શિષ્યાદિનું સારણા, વારણાદિ દ્વારા, હિત કરનારા હોય તેવા ગુરુ દીક્ષા આપવા માટે યોગ્ય છે. ટીકા :
तथा न केवलमित्थंविधः किन्तु, आदेयोऽनुवर्त्तकश्च गम्भीरः, तत्रादेयो नाम ग्राह्यवाक्यः, अनुवर्तकश्च = भावानुकूल्येन सम्यक्पालकः, गम्भीरो = विपुलचित्तः, अविषादी परलोके = न परिषहाद्यभिद्रुतः कायसंरक्षणादौ दैन्यमुपयाति,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org