________________
૨૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | “સા' દ્વાર | ગાથા ૮-૯ પ્રગટેલો વિરતિનો પરિણામ સુરક્ષિત રહે. આ રીતે આરંભ-પરિગ્રહના ત્યાગપૂર્વક વિરતિના પરિણામમાં વિશેષ-વિશેષતર યત્ન કરવાથી ક્રમે કરીને પ્રવ્રજયા મોક્ષનું કારણ બની શકે છે.
આમ છતાં, કોઈ સાધુ સંયમ ગ્રહણ કર્યા બાદ ભાવથી અવિરતિનો ત્યાગ કરે, પરંતુ શાસ્ત્રવિધિ મુજબ આરંભ-પરિગ્રહના ત્યાગમાં યત્ન ન કરે, તો ભાવથી પ્રગટ થયેલો વિરતિનો પરિણામ પણ વિનાશ પામે છે. તેથી મોક્ષના અર્થીએ વિરતિના પરિણામપૂર્વક બાહ્ય આચારણારૂપ આરંભ-પરિગ્રહના ત્યાગમાં યત્ન કરવો આવશ્યક છે, જેથી મોક્ષાર્થી સાધુની પ્રવ્રજયા મોક્ષરૂપ ફળવાળી બને. વિશેષાર્થ :
ક્વચિત્ અપવાદિક કારણે મુનિ નદી ઊતરતા હોય કે અન્ય કોઈ અવિરતિવાળી બાહ્યપ્રવૃત્તિ કરતા હોય કે જેમાં કાયાથી આરંભાદિ થતો હોય, તોપણ વિરતિના પરિણામવાળા મુનિની તે કાયિક કે વાચિક પ્રવૃત્તિ આરંભરૂપ નથી, પરંતુ સંયમવૃદ્ધિને અનુકૂળ છે. દા.ત. મુનિ સંયમની વૃદ્ધિ અર્થે નવકલ્પી વિહારમાં યત્ન કરતા હોય ત્યારે, તે મુનિની વિહારની પ્રવૃત્તિથી થતી વાઉકાયની વિરાધના આરંભરૂપ જણાય, પરંતુ સંયમને અનુકૂળ હોવાથી તે પ્રવૃત્તિ ત્રણેય યોગથી નિરારંભ છે, અને તે વખતે બાહ્યથી દેખાતી આરંભની પ્રવૃત્તિ અશક્યપરિહારરૂપ છે; કેમ કે સંયમનો ઉચિત યોગ હોય અને હિંસાનો પરિહાર અશક્ય હોય તેવી ઉચિત પ્રવૃત્તિમાં થતી હિંસાને શાસ્ત્રકારો આરંભરૂપ કહેતા નથી.
વળી, મુનિ પ્રમાદના પરિણામવાળા હોય ત્યારે પડિલેહણની ક્રિયા કરતા હોય તોપણ શાસ્ત્રમાં તેને ષકાયના વિરાધક કહ્યા છે. તેથી પ્રમાદી સાધુ દ્વારા કાયાથી કરાતી અહિંસાની પ્રવૃત્તિ પણ અતિચારની ભૂમિકાવાળી આરંભની પ્રવૃત્તિરૂપ છે. વળી ક્વચિત્ પ્રમાદને કારણે મુનિ દ્વારા અતિચારનું સેવન થઈ જાય અને પાછળથી પરિણામની વિશુદ્ધિના બળથી આલોચના કરે, તો તે મુનિનો વિરતિનો પરિણામ જીવંત રહે છે. તેથી વીતરાગના શાસનની જ પ્રવ્રયા નિયમથી મોક્ષરૂપ ફળને આપનાર છે. તે ૮II અવતરણિકા :
उक्ता प्रव्रज्या भेदतः, अधुनैतत्पर्यायानाहઅવતરણિકાર્ય :
ગાથા-૫ ની અવતરણિકામાં કહેલ કે તત્ત્વ-ભેદ-પર્યાય વડે વ્યાખ્યા કરવી જોઇએ, એ પ્રકારનો ન્યાય છે. તેથી ગાથા-પમાં પારમાર્થિક અર્થને આશ્રયીને તત્ત્વથી પ્રવજ્યા બતાવી, ગાથા-૬ માં પ્રવ્રજ્યાના નામાદિ ચાર ભેદો બતાવ્યા અને અંતે નિગમન કરતાં સ્થાપન કર્યું કે ચોથા પ્રકારની ભાવપ્રવ્રજયા અવશ્ય મોક્ષફળવાળી છે. આ રીતે ભેદથી પ્રવ્રયા કહેવાઈ. હવે આના = પ્રવ્રજ્યાના, પર્યાયોને = એકાર્યવાચી શબ્દોને, કહે છે
ગાથા :
पव्वज्जा निक्खमणं समया चाओ तहेव वेरग्गं । धम्मचरणं अहिंसा दिक्खा एगट्ठियाइं तु ॥९॥स त्ति दारं गयं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org