________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘સા' દ્વાર / ગાથા ૫
અન્વયાર્થ :
પાવાનો યુદ્ધચરળનો તેવુ પદ્મયળ = પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રજન (એ) પદ્મજ્ઞા=પ્રવ્રજ્યા છે. ઞ = આ રીતે ારાખ્ખોવવારાઓ = કારણમાં કાર્યના ઉપચારથી મુસ્તું પડ્ વયળ=મોક્ષ પ્રતિ વ્રજન = મોક્ષ તરફ ગમન, (એ પ્રવ્રજ્યા) છે.
ગાથાર્થ :
૧૯
પાપમાંથી શુદ્ધ ચરણયોગોમાં પ્રવૃજન એ પ્રવ્રજ્યા છે. આ રીતે કારણમાં કાર્યના ઉપચારથી મોક્ષ તરફ ગમન એ પ્રવ્રજ્યા છે.
ટીકા :
प्रव्रजनं प्रव्रज्या, प्र इति प्रकर्षेण व्रजनं प्रव्रजनं, कुतः क्व ? इत्यत आह- पापाच्छुद्धचरणयोगेषु, इह पापशब्देन पापहेतवो गृहस्थानुष्ठानविशेषा उच्यन्ते, कारणे कार्योपचारात्, यथा “दधित्रपुषी प्रत्यक्षो ज्वर" इति, शुद्धचरणयोगास्तु संयतव्यापारा मुखवस्त्रिकादिप्रत्युपेक्षणादय उच्यन्ते, इय = एवं मोक्षं प्रति व्रजनं प्रव्रज्या । कथमित्याह- कारणे कार्योपचारात् = कारणे शुद्धचरणयोगलक्षणे मोक्षाख्यकार्योपचारात्, यथा “आयुर्घृतम्” इत्यायुषः कारणत्वाद् घृतमेवायुः, इत्थं मोक्षकारणत्वात् शुद्धचरणयोगा एव मोक्ष इति, ततश्च मोक्षं प्रति प्रव्रजनं प्रव्रज्येति गाथार्थः ॥ ५ ॥
ટીંકાર્ય-ભાવાર્થ :
પ્ર એટલે પ્રકર્ષથી, વ્રજન = જવું, એ પ્રવ્રજન. પ્રવ્રજન એ પ્રવ્રજ્યા છે. ક્યાંથી ક્યાં જવું ? એથી કહે છે – પાપથી મુક્ત બનીને શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું. અહીં કારણમાં કાર્યના ઉપચારથી, ‘પાપ’ શબ્દ વડે પાપનાં હેતુ એવાં જીવહિંસાદિ ગૃહસ્થનાં અનુષ્ઠાનવિશેષો કહેવાય છે. જેવી રીતે દહીં-કાકડી પ્રત્યક્ષ જ્વર છે, એ પ્રકારનો ઉપચાર થાય છે.
આશય એ છે કે, જેમ દહીં-કાકડી જ્વરનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચાર દ્વારા દહીં-કાકડીને જ પ્રત્યક્ષ જવર કહેવામાં આવે છે, તેમ ગૃહસ્થની પ્રવૃત્તિઓ પાપબંધનું કારણ હોવાથી કા૨ણમાં કાર્યના ઉપચાર દ્વારા ગૃહસ્થની પ્રવૃત્તિઓને જ પાપ કહેવામાં આવે છે.
શુદ્ધ ચારિત્રના યોગોમાં જવું એ પ્રવ્રજ્યા છે એમ કહ્યું, ત્યાં શંકા થાય કે શુદ્ધ ચારિત્રના યોગો કયા છે ? તેથી કહે છે -
વળી મુહપત્તિ વગેરેની પ્રત્યુપેક્ષણા વગેરે સંયતના વ્યાપારો શુદ્ધ ચારિત્રના યોગો કહેવાય છે. આ રીતે - પાપથી શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું એ પ્રવ્રજ્યા છે એ રીતે, મોક્ષ તરફ જવું એ પ્રવ્રજ્યા છે.
કેવી રીતે ? અર્થાત્ પ્રવ્રજ્યા શબ્દનો અર્થ કરતાં પહેલાં “શુદ્ધ ચરણયોગોમાં પ્રકર્ષથી જવું” એમ કહ્યું, અને પછી “મોક્ષ તરફ જવું” એમ કહ્યું. આમ, પ્રવ્રજ્યાનો અર્થ ભિન્ન ભિન્ન કેવી રીતે થઇ શકે ? એથી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org