SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ગાથા ૩ વસ્તુઓનો જ વસ્તુરૂપે સ્વીકાર થાય છે; તોપણ વિકાર કરવો ઉચિત નથી; કેમ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેના વિધાનાદિ વસ્તુઓ બાકી રહી જાય છે. આશય એ છે કે સમ્યક્ત્વવ્રત ઉચ્ચરાવવાથી અવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અર્થાત્ સમ્યક્ત્વવ્રતના ગ્રહણની વિધિની, પ્રાપ્તિ થાય અને શ્રાવકવ્રત ઉચ્ચરાવવાથી દેશવિરતસમ્યગ્દષ્ટિવિધાનની અર્થાત્ શ્રાવકવ્રતના ગ્રહણની વિધિની, પ્રાપ્તિ થાય; વળી સમ્યક્ત અને દેશવિરતિ ઉચ્ચરાવ્યા પછી સમ્યક્ત્વની અને દેશવિરતિની જે ઉચિત ક્રિયાઓ કરવામાં આવે છે, તે સર્વ વસ્તુઓ છે અને વિશિષ્ટસ્વર્ગગમન, સુકુલમાં જન્મ અને ફરી જિનશાસનની પ્રાપ્તિરૂપ બોધિનો લાભ વગેરે પણ વસ્તુઓ છે. તેથી “આ પાંચ જ વસ્તુઓ છે એ પ્રમાણે અવધારણ કરવું ઉચિત નથી. એ પ્રકારની શંકાને સામે રાખીને ગ્રંથકાર ગાથાના અંતિમ પાદમાં ઉત્તર આપે છે સમ્યત્વવ્રતનું ઉચ્ચરણ, તેમજ શ્રાવકવ્રતનું ઉચ્ચરણ, તેમ જ તે બંને વ્રતના ઉચ્ચરણનું પાલન, એ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનો હેતુ છે, તેથી તે હેતુરૂપે વસ્તુ છે; અને વિશિષ્ટસ્વર્ગગમન, સુકુલમાં જન્મ અને ફરી જૈનધર્મની પ્રાપ્તિ આદિ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું કાર્ય છે, તેથી તે કાર્યરૂપે વસ્તુ છે. માટે આ પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેવામાં કોઈ દોષ નથી. વિશેષાર્થ : જેમ પ્રવ્રયાવિધાનાદિ મોક્ષનું કારણ છે, તેમ સમ્યકત્વનું કે દેશવિરતિનું ગ્રહણ અને પાલન પણ મોક્ષનું કારણ છે. તેથી એ અપેક્ષાએ અવિરતસમ્યગુદૃષ્ટિ આદિના વિધાનાદિ વસ્તુ હોવા છતાં મોક્ષનું પારમાર્થિક કારણ તો પ્રવ્રયાવિધાનાદિ જ છે. તેથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિને પ્રવ્રયાવિધાન આદિ મુખ્ય પાંચ વસ્તુના કારણભૂત વસ્તુ તરીકે સ્વીકારેલ છે. વળી જે મુમુક્ષુ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓનું સમ્યફ સેવન કરે અને તે જ ભવમાં મોક્ષને પ્રાપ્ત ન કરે, તોપણ તે મુમુક્ષુ પ્રવ્રયાવિધાનાદિના ફળરૂપે વિશિષ્ટ પ્રકારના સ્વર્ગમાં જાય છે અને સ્વર્ગનું આયુષ્ય પૂરું થયા પછી ઉત્તમ કુલમાં જન્મ લઈને, ફરી ભગવાનના શાસનની પ્રાપ્તિ કરીને, ફરી સંયમ ગ્રહણ કરે છે. તે સર્વ પ્રવ્રયાવિધાનાદિ પાંચ વસ્તુઓના સેવનના ફળરૂપ છે અને મોક્ષના કારણરૂપ છે. તેથી વિશિષ્ટ સ્વર્ગગમનાદિને . પ્રવ્રયાવિધાનાદિ મુખ્ય પાંચ વસ્તુના ફળભૂત વસ્તુ તરીકે સ્વીકારેલ છે. કોઈપણ પદાર્થને જોવા માટે વ્યવહારનય અને નિશ્ચયનય, એમ બે નયો પ્રવર્તે છે. તેમાં વ્યવહારનય વસ્તુના કારણને પણ અને વસ્તુના કાર્યને પણ ઉપચારથી વસ્તુ રૂપે સ્વીકારે છે. તેથી પરિસ્થૂલ અર્થાત્ ઉપચારને જોનારા, વ્યવહારનયની દૃષ્ટિથી અવિરતસમ્યગ્દષ્ટિ આદિના વિધાનાદિ પણ વસ્તુઓ છે. આમ છતાં નિશ્ચયનયની દૃષ્ટિથી પ્રવ્રજયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે; કેમ કે નિશ્ચયનય ઉપચારને સ્વીકારતો નથી અને મોક્ષના કારણરૂપે આ પાંચ વસ્તુઓને વસ્તુ તરીકે સ્વીકારે છે. આથી મૂળગાથામાં “પ વેવ વધૂ” એમ અવધારણ કરેલ છે. || ૩ || Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy