SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ પ્રવજ્યાવિધાનવસ્તક | ગાથા ૩ દ્રવ્યોનો અને તે દ્રવ્યોમાં રહેતા સર્વભાવોનો તે દ્રવ્ય સાથે અભેદ કરીએ તો પ્રવ્રયાવિધાનાદિની જેમ રૂપાદિ પણ વસ્તુ પ્રાપ્ત થાય. પરંતુ તે રૂપાદિ આત્માને ઉપયોગી નથી માટે તેઓને વસ્તુ કહેલ નથી, અને આત્માને ઉપયોગી હોય તેને વસ્તુ કહેવાય એમ સ્વીકારીને આત્મકલ્યાણમાં ઉપયોગી એવા પ્રવ્રયાવિધાનાદિને પ્રસ્તુત ગ્રંથમાં વસ્તુ કહેલ છે, અને તે દર્શાવવા માટે કહે છે કે શિષ્ય, આચાર્ય, ઉપાધ્યાય આદિરૂપ જીવદ્રવ્યોમાં પ્રવ્રયાવિધાનાદિ વસ્તુઓ વસતી હોવાથી પ્રવ્રયાવિધાનાદિ વસ્તુઓનો આશ્રય શિષ્ય-આચાર્યાદિ જીવો છે, માટે પરમાર્થથી તો પ્રવ્રજયાવિધાનાદિ પણ જીવદ્રવ્યરૂપ જ છે. આથી જીવની સાથે પ્રવ્રજયાવિધાનાદિનો અભેદ કરીને પ્રવ્રયાવિધાનાદિને જ વસ્તુ કહેલ છે; અને પ્રવ્રયાવિધાનાદિને વસ્તુ સ્વીકારવામાં મુક્તિ આપે છે કે જીવના આત્મકલ્યાણના કારણભૂત ગુણો પ્રવ્રયાવિધાનાદિમાં છે, તેથી પ્રવ્રયાવિધાનાદિમાં “ભાવ” શબ્દની સંગતિ થાય છે. આથી પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેલ છે, પણ પુદ્ગલદ્રવ્યોમાં રહેલા રૂપાદિને નહીં. સામાન્ય રીતે ગુણોનો આશ્રય હોય તે જ વસ્તુ છે, એમ સ્વીકારીએ તો, ઘટપટાદિ પુદ્ગલદ્રવ્યો પણ રૂપાદિગુણોના આશ્રય છે અને જીવદ્રવ્ય પણ તેનામાં વર્તતા ભાવોનો આશ્રય છે, આથી સર્વ દ્રવ્યો વસ્તુરૂપ છે. છતાં પ્રસ્તુત ગ્રંથમાં જીવના આત્મકલ્યાણમાં ઉપયોગી એવી જ વસ્તુને વસ્તુરૂપે ગ્રહણ કરવી છે, માટે પ્રવ્રયાવિધાનાદિથી અન્ય વસ્તુઓ જીવને આત્મકલ્યાણમાં ઉપયોગી નહીં હોવાથી વસ્તુ જ નથી. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુ છે, અન્ય નહીં, એમ કહેલ છે. વળી, જ્ઞાનાદિ ગુણોનો આશ્રય હોય તેને જ વસ્તુ કહેવાય, એ પ્રકારનો વસ્તુ શબ્દનો કરેલ વ્યુત્પત્તિ અર્થ શિષ્ય-આચાર્યાદિ જેવદ્રવ્યમાં જ ઘટી શકે, પરંતુ અન્ય ઘટપટાદિ અજીવદ્રવ્યમાં ઘટી શકે નહીં. તેથી શિષ્ય, આચાર્યાદિ જેવદ્રવ્યો જ વસ્તુ છે, એમ સિદ્ધ થાય. વળી, ગ્રંથકારને પ્રવજ્યાવિધાનાદિનો જીવ સાથે અભેદ બતાવીને પ્રવજ્યાવિધાનાદિને જ વસ્તુ તરીકે સ્થાપન કરવી છે; કેમ કે પ્રવ્રજયાવિધાનાદિના ક્રમ દ્વારા જ જીવ આત્માના ગુણો પ્રગટાવી શકે છે અને પોતાનું હિત સાધી શકે છે. તેથી જીવને ઉપયોગી આ પાંચ વસ્તુઓ જ છે, પરંતુ અન્ય કોઈ નહીં, તેમ ગ્રંથકારને સ્થાપન કરવું છે. તેથી પ્રવ્રયાવિધાનાદિ પાંચને જ વસ્તુ કહેલ છે. ઉત્થાન : ગાથાના ત્રણ પાદથી “પ્રવ્રયાવિધાનાદિ પાંચ જ વસ્તુઓ છે' એમ કહ્યું, ત્યાં શંકા કરીને માથાના ચોથા પાદનું ઉત્થાન કરે છે ટીકા : एवमप्येतान्येवेत्यवधारणमयुक्तम्, अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनां विशिष्टस्वर्गगमनसुकुलप्रत्यायातिपुनर्बोधिलाभादीनामपि च वस्तुत्वात्, इत्येतदाशङ्क्याह शेषाणि = अविरतसम्यग्दृष्ट्यादिविधानादीनि हेतुफलभावंतो भवन्ति = अविरतसम्यग्दृष्ट्यादीनि हेतुभावतः = कारणभावेन, विशिष्टस्वर्गगमनादीनि तु फलभावतः = कार्यभावेन वस्तूनि भवन्ति; तथाहि Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy