SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨-૩ અનુયોગ એટલે સૂત્રનો તેના અભિધેયની=અર્થની, સાથે સંબંધ કરવો અર્થાત્ સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરવું. ગણ એટલે સાધુઓનો ગચ્છ=સમુદાય, અને શાસ્ત્રોક્ત વિધિથી અનુયોગની અને ગણની અનુજ્ઞા= અનુમતિ આપવી, તે અનુયોગગણાનુજ્ઞા. બીજાઓને સૂત્રોના અર્થની વાચના આપવાની=સૂત્રોના અર્થને સમજાવવાની અનુમતિ આપવી, તે અનુયોગઅનુજ્ઞા; અને સાધુગણના નાયક બનાવીને સાધુગણના પાલનની અનુમતિ આપવી અર્થાત્ સાધુઓને સંભાળવાની જવાબદારી સોંપવી, તે ગણાનુજ્ઞા. સંખના એટલે જેનાથી શરીર અને કષાયાદિ ક્ષીણ થાય, તેવી તપક્રિયા. જોકે બધી જ તપક્રિયા સંલેખના છે, તોપણ મરણ સમયે કરાતી વિશિષ્ટ જ તપક્રિયાને અહીં સંલેખના કહેવામાં આવે છે. ટીકા : ___ मो इति पूरणार्थो निपातः, इति पञ्च इति एवं अनेनैव क्रमेण पञ्चवस्तूनि; तथाहि-प्रव्रज्याविधाने सति सामायिकसंयतो भवति, संयतस्य प्रतिदिनक्रिया, क्रियावतश्च व्रतेषु स्थापना, व्रतस्थस्य चानुयोगगणानुज्ञे सम्भवतश्चरमकाले च संलेखनेति गाथार्थः ॥२॥ ટીકાર્ય : મૂળગાથામાં મો પૂરણના=વાક્ય પૂરવાના, અર્થવાળો નિપાત છે, રૂ પં'માં રહેલ “રૂતિ'નો અર્થ વિમ્ છે અને પવન્ નું તાત્પર્ય બતાવવા કહ્યું કે મનેનૈવ મે=આ જ ક્રમથી, અને “પંa'નો અર્થ કર્યો કે પઝવહૂનિ=પાંચ વસ્તુઓ છે; અર્થાત્ પ્રસ્તુત ગાથામાં બતાવ્યું, એ જ ક્રમથી પાંચ વસ્તુઓ છે; અને પાંચ વસ્તુઓ આ જ ક્રમથી કેમ છે ? તે તથાદિ થી સ્પષ્ટ કરે છે- પ્રવજ્યાનું વિધાન કરાયે છતે = દીક્ષા લેવાની વિધિ કરાવે છતે, જીવ સામાયિક સંયમવાળો થાય છે. સંયતની પ્રતિદિનક્રિયા હોય છે અને ક્રિયાવાળાની વ્રતોમાં સ્થાપના થાય છે, જે પાંચ ચારિત્રમાંથી બીજા છેદોપસ્થાપ્યચારિત્રરૂપ છે; અને વ્રતસ્થને અનુયોગ અને ગણની અનુજ્ઞા સંભવે છે અર્થાત્ વ્રતોમાં રહેલાને ક્રમે કરીને શાસ્ત્રાભ્યાસ કર્યા પછી સંપન્ન થતાં અનુયોગની અને ગણની અનુજ્ઞા આપવામાં આવે છે, અને ચરમકાલમાં જીવનના અંતકાળે, સંલેખના હોય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. રા અવતરણિકા : साम्प्रतममीषामेव वस्तुत्वप्रतिपादनार्थमाहઅવતરણિતાર્થ : હવે આમના જ = પ્રવજ્યાવિધાનાદિ પાંચના જ, વસ્તુત્વનું પ્રતિપાદન કરવા માટે કહે છે અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે આ પાંચ વસ્તુ છે, ત્યાં શંકા થાય કે પ્રવ્રજ્યાવિધાનાદિ પાંચને જ વસ્તુ કેમ કરી? તેથી પ્રવજ્યાવિધાનાદિ પાંચ વસ્તુઓનું જ વસ્તુપણું બતાવવા માટે કહે છે ગાથા : एए चेव य वत्थू वसंति एएसु नाणमाईया। जं परमगुणा सेसाणि हेउफलभावओ हुंति ॥ ३ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy