SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ગાથા ૨ ૧૧ ૨. તથા પ્રતિદિનક્રિયા એટલે પ્રતિદિન=પ્રતિદિવસ, ક્રિયા=ચેષ્ટા, એ પ્રતિદિનની ક્રિયા; પ્રવ્રુજિતોની જ ચક્રવાલ સામાચારી. એ પ્રકારનો ભાવ છે. ૩. અને વ્રતોમાં સ્થાપના એટલે હિંસા, અમૃત, તેય, અબ્રહ્મ અને પરિગ્રહથી વિરતિ એ વ્રતો છે. તેઓમાં સ્થાપના અર્થાત્ સામાયિક સંયમવાળાની ઉપસ્થાપના. ન થી પૂર્વપક્ષી કહે છે વ્રતોની સ્થાપના એ પ્રમાણે યુક્ત છે; કેમ કે ત્યાં=સાધુમાં, તેઓનું આરોપ્યમાનપણું છે=વ્રતોનું આરોપણ કરાય છે. તેને ગ્રંથકાર ૩mતેથી જવાબ આપે છે સામાન્યથી વ્રતોનું અનાદિપણું હોવાથી તે વ્રતોમાં તેનું ઉપસ્થાપ્યમાનપણું હોવાને કારણે = પ્રવ્રુજિતની ઉપસ્થાપના કરાતી હોવાને કારણે, “વ્રતોમાં સાધુની સ્થાપના' એવું ત્રીજી વસ્તુનું નામ છે. આ રીતે પણ = “સાધુમાં વ્રતોની સ્થાપના” એમ કહીએ એ રીતે પણ, અદોષ જ છે. ૪. તથા અનુયોગગણની અનુજ્ઞા એટલે અનુયોજવું અર્થાત્ સૂત્રનો પોતાના અભિધેય સાથે સંબંધ કરવો = વ્યાખ્યાન કરવું, એ અનુયોગ. વળી ગણ ગચ્છ કહેવાય છે, અનુયોગ અને ગણ એ અનુયોગગણ. તે બેની અનુજ્ઞા = પ્રવચનમાં કહેવાયેલ વિધિ વડે સ્વતંત્રપણાનું અનુજ્ઞાન અર્થાત્ સ્વતંત્રતાની રજા આપવી, તે અનુયોગગણની અનુજ્ઞા. ૫. અને સંલેખના એટલે જે તપ-ક્રિયા વડે શરીર, કષાયાદિ સંલેખાય છે કૃશ કરાય છે, તે સંલેખના. જોકે સર્વ જ તપ-ક્રિયા આ છે=સંલેખના છે, તોપણ અહીં=પ્રસ્તુત ગ્રંથમાં, ચરમકાલમાં થનારી વિશિષ્ટ જ તપ-ક્રિયા સંલેખના કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રવ્રયાવિધાન, પ્રતિદિનક્રિયા, વ્રતસ્થાપના, અનુયોગગણાનુજ્ઞા અને સંલેખના એ પાંચ વસ્તુઓનું આ ગ્રંથમાં વર્ણન કરવામાં આવશે. પ્રવ્રજયાવિધાન એટલે દીક્ષા કોણ આપી શકે? કોને આપી શકે ? કેવી રીતે આપી શકે? વગેરે દીક્ષા સંબંધી વિધિ. પ્રતિદિનક્રિયા એટલે ચક્રવાલ સામાચારી અર્થાત્ દરરોજ આચરવા યોગ્ય સાધુઓના આચારો. વ્રતસ્થાપના એટલે વ્રતોમાં સાધુની સ્થાપના કરવી અર્થાત્ સાધુઓને પાંચ મહાવ્રતોનું પ્રદાન કરવું. હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહ એ પાંચ પાપોનો પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગ કરવો એ પાંચ મહાવ્રતો છે. અહીં પ્રશ્ન થાય કે “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ નહીં, કિંતુ “સાધુમાં વ્રતોની સ્થાપના કરવી”, એમ કહેવું જોઈએ; કારણ કે વ્રતોમાં સાધુનું આરોપણ થતું નથી, કિન્તુ સાધુમાં વ્રતોનું આરોપણ કરવામાં આવે છે. તેનું સમાધાન આપતાં ગ્રંથકાર કહે છે કે, સામાન્યથી વ્રતો અનાદિકાળથી રહેલાં છે, અને અનાદિકાળથી રહેલાં તે વ્રતોમાં સાધુની સ્થાપના કરવામાં આવે છે અર્થાત્ વ્રતોમાં સાધુનું આરોપણ કરવામાં આવે છે. આથી “વ્રતોમાં સાધુની સ્થાપના કરવી” એમ કહેવામાં પણ વાંધો નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy