SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / ગાથા ૧ વળી, શાસ્ત્રમાં કહેલા ભગવાનના ગુણો જાણીને તે ગુણોના મહત્ત્વને કારણે હૈયામાં ભગવાન પ્રત્યે બહુમાનભાવ વધતો હોય, તે બહુમાનભાવથી પ્રેરાઈને શાસ્ત્રમાં કહેલી વિધિપૂર્વક કાયાથી ભગવાનને નમસ્કાર કરતો હોય અને વચનથી નમસ્કારના વાચક શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરતો હોય, વળી મન પણ ભગવાનના ગુણોના ચિંતવનમાં ઉપયુક્ત હોય કે જેના દ્વારા દ્રવ્યસંકોચ અને ભાવસંકોચ પ્રગટતો હોય તેવી નમસ્કારની ક્રિયા સમ્યગુ નમસ્કારની ક્રિયા બને છે અને તેના સિવાય મન, વચન અને કાયાથી કરાતી નમસ્કારની ક્રિયા પણ અસમ્યગુ બને છે. તેથી સમ્યગુ' શબ્દને નમસ્કારની ક્રિયાના વિશેષણરૂપે ગ્રહણ કરેલ છે. ટીકા : आह-एवमपि सम्यगित्येतदेवास्तु, अलं मनोवाक्काययोगग्रहणेन, सम्यग्नमनस्य तदव्यभिचारित्वात्, नैतदेवम्, एकपदव्यभिचारेऽपि “अब्द्रव्यं पृथिवीद्रव्यं" इत्यादौ विशेषणविशेष्यभावदर्शनादिति । ટીકાર્ય અહીં કોઈ દિ થી શંકા કરે છે આ રીતે પણ = મન, વચન, કાયાના યોગો દ્વારા અસમ્યગુ પણ નમસ્કાર થતું હોવાથી સમ્યપદના ગ્રહણને સ્વીકારીએ એ રીતે પણ, સમ્યમ્ એ પ્રકારનું આ જ હો = વિશેષણ જ હો; મન, વચન, કાયાના યોગોના ગ્રહણ વડે સર્યું, કેમ કે સમ્યગુ નમનનું તેની સાથે = મન, વચન, કાયાના યોગોની સાથે, અવ્યભિચારીપણું છે. આ શંકાનું સમાધાન કરતાં ગ્રંથકાર કહે છે- આ આમ નથી અર્થાત્ મન, વચન અને કાયાના યોગોને છોડીને માત્ર સભ્યપદ ગ્રહણ કરવું ઉચિત છે એ એમ નથી; કેમ કે એક પદનો વ્યભિચાર હોતે છતે પણ અબ્રવ્ય, પૃથિવીદ્રવ્ય ઈત્યાદિમાં વિશેષણવિશેષ્યભાવનું દર્શન થાય છે. “રૂતિ' પૂર્વપક્ષીએ કરેલ શંકાના ગ્રંથકારે કરેલ સમાધાનની સમાપ્તિ અર્થક છે. ભાવાર્થ : અબ્દવ્યં, પૃથિવીદ્રવ્ય એ પદમાં “વ્ય' શબ્દ વ્યભિચારી છે અને “સત્' અને “પૃથવી' શબ્દ અવ્યભિચારી છે, તે આ પ્રમાણે પાણી અને પૃથ્વી દ્રવ્ય હોવાથી અપ અને પૃથ્વી શબ્દ દ્રવ્ય સાથે અવ્યભિચારી છે, જયારે દ્રવ્ય પાણી પણ હોય, પૃથ્વી પણ હોય અને પાણી-પૃથ્વીથી અન્ય એવું તેજ વગેરે પણ હોય, તેથી દ્રવ્ય શબ્દ પાણી અને પૃથ્વી સાથે વ્યભિચારી છે. આમ, જે સ્થાનમાં એક પદ વ્યભિચારી હોય, તે સ્થાનમાં પણ વિશેષણ-વિશેષ્યભાવ થઈ શકે. તેથી પ્રસ્તુતમાં સમ્યમ્ નમસ્કાર એ મન-વચન-કાયા સાથે આવ્યભિચારી હોવા છતાં મન-વચન-કાયાના યોગો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy