SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૨૦૫ છતાં શ્વેતાંબરમુનિ ધર્મના સાધન તરીકે વસ-પાત્રાદિ ગ્રહણ કરે છે. આથી વસ-પાત્રાદિ સાથે દેહઆહારાદિનું સમાનપણું છે. ઉત્થાન : વળી દિગંબર કહે કે અસાર અને પ્રતિબંધરહિત પણ વસ્ત્રાદિ ગ્રહણ કરવા છતાં, ક્યારેક પ્રમાદથી વસ્ત્રાદિમાં અલ્પ રાગાદિ દોષો થવાની સંભાવના છે, માટે વસ્ત્રાદિ રાખવા જોઈએ નહીં. તેનું ગ્રંથકાર સમાધાન કરે છે ટીંકાઈ : स्वल्पा: ..... ચા: અલ્પ થતા એવા પણ સંમૂર્ચ્છનજાદિ દોષો દેહ-આારાદિનું વસ્ત્રાદિ સાથે તુલ્યપણું હોવાથી બહુગુણોવાળા જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગૃહસ્થાશ્રમમાં આરંભ અને પરિગ્રહ હોય છે અને આરંભ-પરિગ્રહને કારણે સંક્લેશાદિ થાય છે; અને સંયમજીવનમાં આરંભ-પરિગ્રહ નથી, તેથી ભાવથી પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર સાધુને સંક્લેશ વગરનું સુખ છે, જે સુખ ગૃહવાસમાં સંભવતું નથી. આવું ગ્રંથકારે સ્થાપન કર્યું એ વખતે અવસર પામેલ દિગંબર સાધુ ગ્રંથકારને કહે છે કે ઉપકરણમાં પણ આરંભ-પરિગ્રહથી થતા સંક્લેશાદિ દોષો સમાન છે; તેથી સંક્લેશના ત્યાગ માટે જેમ ગૃહવાસનો ત્યાગ કરવો જોઇએ, તેમ વસ્ત્રાદિ ઉપકરણનો પણ ત્યાગ કરવો જોઇએ, તો સર્વથા સંક્લેશ વગરનું સુખ સંયમજીવનમાં પ્રાપ્ત થઈ શકે. તેને ગ્રંથકાર કહે છે કે ધર્મના સાધનભૂત એવાં વસ્ત્ર-પાત્રાદિમાં સંક્લેશાદિ દોષો થતા નથી; કેમ કે સંયમીઓ જે વસ્ત્ર-પાત્રાદિ ઉપકરણ રાખે છે તે અસાર હોય છે, અને પ્રતિબંધનો અભાવ હોય છે અર્થાત્ મુનિને વસ્ત્ર-પાત્રાદિ પ્રત્યે મમત્વનો પરિણામ હોતો નથી, તેથી તે પરિગ્રહરૂપ બનતા નથી. અહીં દિગંબર કહે કે જો સાધુને મમત્વ ન હોય તો તુચ્છ પણ વસ્ત્ર-પાત્રાદિ સાધુએ ન રાખવાં જોઇએ; છતાં તુચ્છ વસ્ત્રાદિને પણ સાધુ ગ્રહણ કરે છે, તેથી નક્કી થાય કે સાધુને વસ્ત્રાદિ ગ્રહણ કરવાનો અભિલાષ છે, જે અભિલાષ મમત્વરૂપ છે. તેથી ગ્રંથકાર ત્રીજો હેતુ કહે છે કે વસ્ર-પાત્રાદિનું દેહઆહારાદિની સાથે સમાનપણું છે અર્થાત્ જે રીતે દિગંબરો વસ્ર-પાત્રાદિ ગ્રહણ કરતા નથી, છતાં તેઓ પણ નિર્મમભાવથી દેહનું ધારણ કરે છે, આહાર અને શિષ્યનું ગ્રહણ કરે છે અને ઉપદેશાદિ આપે છે; તે રીતે નિર્મમભાવથી મોક્ષમાર્ગની સાધના કરવામાં ઉપયોગી એવાં તુચ્છ પણ વસ્ર-પાત્ર વગેરે મુનિ ગ્રહણ કરે છે. અહીં દિગંબર કહે છે કે સાધુ વસ્ર-પાત્રાદિ યતનાપૂર્વક ગ્રહણ કરે તો આરંભનો પરિહાર થઇ શકે; પરંતુ અસાર એવા પણ વસ્ર-પાત્રાદિ સાથે રાખવાથી ક્યારેક મમત્વ થવાની સંભાવના રહેતી હોવાથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy