________________
૨૮૮
પ્રવજ્યાવિઘાનવસ્તક / “કથી હાર | ગાથા ૨૦૫
પરિગ્રહનો પરિહાર થઈ શક્તો નથી, અને વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરવામાં સમ્યગ્યતના ન થાય તો ક્યારેક વસ્ત્રાદિ આરંભરૂપ પણ બની શકે છે. તેથી સંક્લેશાદિ દોષો દૂર કરવા માટે જેમ અગારવાસનો ત્યાગ કરવો જોઈએ, તેમ વસ્ત્ર-પાત્રાદિનો પણ ત્યાગ કરવો જોઇએ. આ પ્રમાણે કહેતા દિગંબરને ગ્રંથકાર કહે છે કે વસ્ત્ર-પાત્રાદિનું દેહ-આહારાદિની સાથે સમાનપણું હોવાથી દેહ-આહારાદિની જેમ વસ્ત્રાદિમાં પણ સંપૂર્ઝનજ આદિ સ્વલ્પ પણ થતા દોષો બહુગુણવાળા છે.
આશય એ છે કે મુનિ અપ્રમત્ત ભાવથી યતનાપૂર્વક વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે તો લેશ પણ આરંભદોષ પ્રાપ્ત થાય નહીં, અને ગ્રહણ કરેલા વસ્ત્ર-પાત્રાદિમાં મમત્વ ન કરે તો લેશ પણ પરિગ્રહદોષ પ્રાપ્ત થાય નહીં; આમ છતાં ક્યારેક પ્રમાદને કારણે વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણવિષયક યતનામાં ખામી રહી જાય તો સંમૂછિમ જીવ જેવો સૂક્ષ્મ આરંભદોષ મુનિને પ્રાપ્ત થઈ શકે; અને કદાચ યતનાપૂર્વક ગ્રહણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણના ઉપભોગકાળમાં અનુકૂળતાના સંવેદનરૂપ મમત્વભાવ થઈ જાય તો સંમૂચ્છિમ જીવ જેવો સૂક્ષ્મ પરિગ્રહદોષ મુનિને થવાની સંભાવના રહે છે. આ રીતે મુનિને ક્યારેક અલ્પમાત્રામાં આરંભ અને પરિગ્રહદોષની પ્રાપ્તિ થાય; તોપણ તે વસ્ત્ર-પાત્રાદિના ગ્રહણથી સંયમની આરાધના સમ્યફ થઈ શકે છે, જેથી ઘણા ગુણો પ્રગટે છે. આથી વસ્ત્રાદિ ઉપકરણ રાખવાથી અભ્યાસદશામાં ક્વચિત્ અલ્પ દોષ થાય, તોપણ સંયમના મોટા લાભને સામે રાખીને મહાત્માઓ વસ્ત્રપાત્રાદિ ગ્રહણ કરે છે.
આથી ભગવાનનું શાસન બકુશનિગ્રંથ અને કુશીલનિગ્રંથથી ચાલે છે, તેમ શાસ્ત્રમાં કહેલ છે; અને ક્યારેક ખુલના થવાથી વસ્ત્ર-પાત્ર વગેરેમાં બકુશ અને કુશીલ નિગ્રંથોને આરંભ-પરિગ્રહદોષની પ્રાપ્તિ પણ થાય છે, છતાં વસ્ત્ર-પાત્રાદિ ન રાખે તો ધર્મધ્યાનાદિ કે જીવરક્ષાદિ ગુણો થઈ શકે નહિ. આથી સાધુઓ ઉપકરણ રાખે છે.
વળી, જેવી રીતે દેહનું પાલન કરવામાં અને આહારાદિ ગ્રહણ કરવામાં ક્વચિત્ પ્રમાદને કારણે આરંભ અને પરિગ્રહરૂપ દોષ અલ્પ માત્રામાં થઈ શકે છે; તોપણ દિગંબર મુનિઓ અકાળે દેહનો ત્યાગ કરતા નથી અને સંયમ ગ્રહણ કર્યા પછી અકાળે આહારાદિનો પણ ત્યાગ કરતા નથી; કેમ કે સંયમના બળથી ઘણા ગુણો પ્રગટે છે અને સંયમનું પાલન દેહ-આહારાદિથી થઈ શકે છે, એમ દિગંબરો પણ માને છે. તેવી રીતે વસ્ત્ર-પાત્રાદિમાં પણ ક્વચિત્ અલ્પ દોષો લાગત હોય તોપણ ઘણા લાભને સામે રાખીને શ્વેતામ્બર મુનિઓ વસ્ત્ર-પાત્રાદિ ગ્રહણ કરે છે.
સમૂચ્છનજ દોષ એટલે જીવને ખ્યાલ પણ ન આવે તેવો સંયમજીવનની પ્રવૃત્તિઓમાં થતો સૂક્ષ્મ દોષ, અર્થાત સંયમમાં સુદઢ યત્ન કરવા છતાં સંયમની સાધના માટે ઉપયોગી એવાં વસ્ત્રાદિ ઉપકરણ ગ્રહણ કરવામાં થઈ જતા સંમૂચ્છિમ જીવ જેવા સૂક્ષ્મ રાગાદિ ભાવો, અને “સંપૂર્ઝનના” માં મારિ પદથી
ક્વચિત્ થઈ જતા વ્યક્ત રાગાદિ પરિણામરૂપ દોષનું ગ્રહણ કરવાનું છે. આવા દોષો થવા છતાં પણ સાધુ પાછળથી નિંદા-ગહ કરવા દ્વારા તે દોષોને દૂર કરીને ગ્રહણ કરેલા વસ્ત્રાદિ ઉપકરણના બળથી સંયમના પરિણામની વૃદ્ધિ કરે છે, એ રૂપ ઘણા ગુણો થાય છે. l/૨૦પા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org