________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “કર્થ દ્વાર | ગાથા ૨૦૧-૨૦૨
૨૮૧
ક્રિયાઓ જીવની પ્રકૃતિ બનવાને કારણે સંયમની ક્રિયાઓ દ્વારા તેઓ શુક્લપરિણામવાળા બને છે અને ચિત્ત અતિનિઃસ્પૃહી હોવાને કારણે સદા ઉત્તમ કોટિના ધ્યાનમાં તેઓ વર્તે છે, માટે આશયથી પણ તેઓ શુક્લઅભિજાત્ય બને છે; અને તે પ્રકારે શુક્લ-શુક્લાભિજાત્ય થઈને સંપૂર્ણ પ્રશમના સુખથી સમન્વિત થયેલા તે જીવોનું વિશેષ પ્રકારનું ચારિત્રમોહનીયકર્મ ન હોય તો તેઓ તે ભવમાં પાછળથી સિદ્ધ થાય છે અને સર્વોત્તમ એવા મોક્ષરૂપ સ્થાનને પામે છે.
આનાથી એ ફલિત થાય છે કે પ્રવ્રજિતને જેવું સુખ છે તેવું સુખ દેવોને પણ નથી. આથી ગાથા૧૯૬ માં કહ્યું કે ઇચ્છાની વિનિવૃત્તિથી થતું સુખ શ્રેષ્ઠ છે, આ પ્રકારનો આપ્તપુરુષોનો પ્રવાદ છે. ૨૦૧૫ અવતરણિકા :
प्रकृतयोजनां कुर्वनाहઅવતરણિતાર્થ :
ગાથા-૧૮૦ માં પૂર્વપક્ષીએ કહેલ કે પાપના ઉદયથી ગૃહવાસને છોડે છે. તેનું થિક્તથી નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૨૦૦-૨૦૧ માં સ્થાપન કર્યું કે પ્રવ્રુજિતને જેવું સુખ છે, તેવું સુખ સંસારમાં અન્ય કોઈને નથી. હવે પૂર્વપક્ષીનું કથન યુક્તિયુક્ત નથી, તેમ બતાડવા માટે “ઇચ્છાની વિનિથિત્તથી મુનિઓને ઉત્તમ સુખ થાય છે એ રૂપ પ્રકૃત કથનની પૂર્વપક્ષીના કથન સાથે યોજના કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
लेसा य सुप्पसत्था जायइ सुहियस्स चेव सिद्धमिणं ।
इअ सुहनिबंधणं चिअपावं कह पंडिओ भणइ? ॥२०२॥ અન્વયાર્થ :
સુપરસ્થા ય નૈસા = અને સુપ્રશસ્ત લેશ્યા સુદિયસ વેવર સુખિતને જ ગાડું = થાય છે, રૂપામ્ =એ સિદ્ધ=(બુદ્ધિમાનોને) સિદ્ધ છે. રૂટ = આ રીતે સુનિવંથvi જિગ = સુખના નિબંધનને જ = કેવી રીતે પંડિ = પંડિત પર્વ મi? =પાપ કહે ?
ગાથાર્થ :
સુપ્રશસ્ત લેશ્યા સુખિતને જ થાય છે, એ નિયમ બુદ્ધિમાનોને માન્ય છે; આ રીતે સુખના કારણને જ કેવી રીતે પંડિત પાપ કહે? ટીકા :
लेश्या च सुप्रशस्ता जायते सुखितस्यैव नेतरस्येति सिद्धमिदं विपश्चिताम्, इति एवं सुखनिबन्धनमेव अगारवासपरित्यागंपापं कथं पण्डितो-विपश्चिद्भणति?अतोऽयुक्तमुक्तम् अगारवासं पावाओ परिच्चयन्ति' રૂતિ ગાથાર્થ: ૨૦૨ા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org