________________
૨૮૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૦૨-૨૦૩
ટીકાર્ય :
અને સુપ્રશસ્ત લેગ્યા સુખિતને જ થાય છે, ઇતરને નહીં; એ પ્રકારનું આ = કથન, પંડિતોને સિદ્ધ છે. આ રીતે સુખના એવા નિબંધન જ= કારણ જ, અગારવાસના પરિત્યાગને પંડિત કેવી રીતે પાપ કહે? એથી “અગારવાસને પાપથી પરિત્યજે છે” એમ કહેવાયેલું અયુક્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ગાથા-૨૦૦-૨૦૧ માં સ્થાપન કર્યું કે મુનિ બાર મહિનાના સંયમપર્યાયમાં અનુત્તરવાસી દેવોની તેજલેશ્યાને અતિક્રમે છે, અને સુપ્રશસ્ત લેગ્યા સુખી જીવોને થાય છે, દુઃખી જીવોને નહિ. આ વાત બુદ્ધિમાનોને સિદ્ધ છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે અભિળંગ દુઃખનું કારણ છે અને ગૃહવાસ અભિવંગનું કારણ હોવાથી પાપરૂપ છે, તેથી વિવેકપૂર્વક કરેલ ગૃહવાસનો પરિત્યાગ વિવેકી જીવને પરમ સુખનું કારણ છે. માટે અગારવાસના પરિત્યાગને બુદ્ધમાન પુરુષ પાપરૂપ કહે નહિ. આથી પૂર્વપક્ષીએ ગાથા-૧૮૦ના પૂર્વાર્ધમાં કહેલ કે અગારવાસનો ત્યાગ પાપથી થાય છે, એ કથન અસંગત છે.l૨૦૨ા અવતરણિકા :
ગાથા- ૧૨૫ માં પ્રવજ્યા ગ્રહણ કરવાની સંક્ષિપ્ત વિધિ દર્શાવી અને ગાથા-૧૨૬ થી ૧૬૩ માં તે વિધિનો વિસ્તારાર્થ દર્શાવ્યો. ત્યારપછી ગ્રંથકારે ગાથા-૧૬૪ થી ૧૬૭ માં પ્રથમ પૂર્વપક્ષનું ઉદ્દભાવન કરીને ગાથા-૧૬૮ થી ૧૭૯માં તે પૂર્વપક્ષનું નિરાકરણ કર્યું. ત્યારબાદ ગાથા-૧૮૦ થી ૧૮૪ માં અન્ય પૂર્વપક્ષનું ઉદ્ભાવન કરીને તેનું પણ અત્યાર સુધી નિરાકરણ કર્યું. હવે તેનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છેગાથા :
तम्हा निरभिस्संगा धम्मज्झाणंमि मुणिअतत्ताणं।
तह कम्मक्खयहेउं विअणा पुनाउ निद्दिट्ठा ॥२०३॥ અન્યથાર્થ :
તહીં તે કારણથી પ્રવ્રુજિતને ક્રમસર સુખ વધે છે તે કારણથી, મુળગતા=જ્ઞાતતત્ત્વવાળાઓને થમાઇif=ધર્મધ્યાન હોતે છતે તહં તે પ્રકારે મધદેવું કર્મના ક્ષયનો હેતુ એવી નિમિર્સ વિમUT=નિરભિવંગ વેદના પુત્રી૩=પુણ્યથી નિદ્રિ=નિર્દેશાએલી છે. ગાથાર્થ :
ગાથા-૨૦૦-૨૦૧ માં કહ્યું કે પ્રવૃતિને ક્રમસર સુખ વધે છે તે કારણથી, જાણેલ તત્ત્વવાળા મુનિઓને ધર્મધ્યાન હોતે છતે તે પ્રકારના કર્મક્ષયનું કારણ એવી નિરભિમ્પંગ સંવેદના પુણ્યથી કહેવાયેલી છે. ટીકા :
तस्मानिरभिष्वङ्गाः = सर्वत्राशंसाविप्रमुक्ता धर्मध्याने तथा आह्लादके सति ज्ञाततत्त्वानां मोहरहितानां
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org