________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૯૭
ટીકાર્ય :
=
ઇચ્છાની નિવૃત્તિથી થતા મહાન સુખનો મુક્તિ સાથે વ્યભિચાર છે; કેમ કે તેના કાંક્ષણમાં = મુક્તિની ઇચ્છા કરવામાં, તેની = મુક્તિની, પ્રાપ્તિથી જ સુખનો ભાવ છે – સદ્ભાવ છે. આ કથનની આશંકા કરીને ગ્રંથકાર કહે છે– તે નથી = ઇચ્છાનિવૃત્તિથી થતા મહાન સુખનો મુક્તિ સાથે વ્યભિચાર છે તે બરાબર નથી; જે કારણથી જિનો વડે = તીર્થંકરો વડે, પ્રકર્ષથી પ્રાપ્ત = સામાયિકસંયતાદિથી આરંભીને ઉત્કર્ષથી નિષ્ઠાને અર્થાત્ સમાપ્તિને પામેલું એવું, ઇચ્છાની વિનિવૃત્તિનું જ ફળ આ = મુક્તિ, પ્રરૂપાઇ છે = કહેવાઇ છે, પરંતુ મુક્તિ ઇચ્છાપૂર્વક થાય છે, એમ નહિ, એ પ્રકારે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વપક્ષી કહે છે કે સંસારી જીવોને પોતે ઇચ્છેલ ભૌતિક પદાર્થોની પ્રાપ્તિથી જે સુખ થાય છે, તેના કરતાં ઇચ્છાની નિવૃત્તિથી મુનિને અતિશય સુખ થાય છે, આ કથનનો મુક્તિની સાથે વ્યભિચાર છે; કેમ કે જે રીતે ઇચ્છાથી મહાત્માઓ મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને મોક્ષની પ્રાપ્તિથી મહાત્માઓને મોક્ષનું મહાન સુખ થાય છે; તે રીતે સંસારી જીવો ભોગની ઇચ્છાથી ભોગના ઉપાયમાં પ્રવૃત્તિ કરે છે અને ભોગની પ્રાપ્તિથી તેઓને ક્ષણિક સુખ થાય છે. આમ, મુક્તિની ઇચ્છાથી સાધુને જ્યારે મુક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારે મહાન સુખ થાય છે; પરંતુ ઇચ્છાની નિવૃત્તિથી મહાન સુખ થતું નથી.
આ પ્રકારની પૂર્વપક્ષની આશંકા કરીને ગ્રંથકાર કહે છે કે આ કથન બરાબર નથી; કેમ કે ભગવાને મોક્ષની ઇચ્છાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ કહ્યું નથી, પરંતુ ઇચ્છાની નિવૃત્તિનું ફળ મોક્ષ છે એમ કહ્યું છે. વળી ઇચ્છાની નિવૃત્તિનું પ્રકર્ષપ્રાપ્ત ફળ મોક્ષ છે અર્થાત્ સાધક આત્માને પ્રથમ સર્વ ભૌતિક પદાર્થોમાં ઇચ્છાની નિવૃત્તિ થાય છે, ત્યારપછી મોક્ષની ઇચ્છાની પણ નિવૃત્તિ થાય છે; અને તે મોક્ષની ઇચ્છાની નિવૃત્તિ પ્રકર્ષને પામે છે, ત્યારે જીવ વીતરાગ અને સર્વજ્ઞ બને છે, અને જીવની તે વીતરાગઅવસ્થા ભાવથી મુક્તિ છે; અને વીતરાગ અને સર્વજ્ઞ બનેલ તે જીવના આયુષ્યનો ક્ષય થાય ત્યારે તે સર્વ કર્મોથી મુક્ત થાય છે, માટે દ્રવ્યથી પણ મુક્ત બને છે. તેથી ઇચ્છાની નિવૃત્તિના પ્રકર્ષપ્રાપ્ત ફળરૂપ મોક્ષ છે.
આનાથી એ ફલિત થાય કે સંસારી જીવો ભોગની ઇચ્છાથી ભોગમાં પ્રવૃત્તિ કરે છે, જેના કારણે તેઓને ક્ષણભર ભોગની ઇચ્છા શાંત થવાથી ક્ષણિક સુખનો અનુભવ થાય છે; જ્યારે મુનિઓને ભોગની ઇચ્છાના શમનથી દીર્ઘ કાળનું સુખ થાય છે, અને સંયમના યોગોના સેવનને કારણે તેઓની ઇચ્છાનું અધિક અધિક શમન થાય છે, જેથી ક્રમે કરીને તેઓને અધિક અધિક સુખ થાય છે, અને સર્વથા ઇચ્છાના અભાવની પ્રાપ્તિ થાય ત્યારે તેઓને સર્વોત્તમ એવા મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે ગ્રંથકારનો આશય છે. ।। ૧૯૭ ॥
અવતરણિકા :
વિષ્ણુ -
૨૦૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org