________________
૨૦૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ” દ્વાર | ગાથા ૧૯-૧૯૦ વળી વિરક્ત જીવોને ઇચ્છાની નિવૃત્તિ થયેલ હોવાને કારણે તે ઇચ્છાનિવૃત્તિથી અવિચ્છિન્ન સુખની ધારા ચાલે તેવો વૈરાગ્ય હોવાથી કર્મનો બંધ પણ થતો નથી. તેથી ભાવિની અપેક્ષાએ પણ તે અવિચ્છિન્ન સુખ વિશેષ સુખનું કારણ બને છે, તેથી આપ્ત પુરુષો સંસારના ભોગોથી થતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુખ કરતાં પણ ઇચ્છાની નિવૃત્તિને શ્રેષ્ઠ સુખ કહે છે. I૧૯દી અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે ઇચ્છિત અર્થની પ્રાપ્તિથી તે સુખ નથી થતું કે જે સુખ ઇચ્છાની નિવૃત્તિથી થાય છે. તેથી એ નક્કી થયું કે ઈચ્છાનિવૃત્તિથી જ મહાન સુખ થાય છે, ત્યાં મુક્તિની પ્રાપ્તિના શ્રેષ્ઠ સુખ સાથે વ્યભિચાર છે, તે આ રીતે
મુક્તિ પ્રકૃષ્ટ સુખસ્વરૂપ છે અને મુક્તિની ઇચ્છાથી જ મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ થાય છે અને મુક્તિના ઉપાયોમાં પ્રવૃત્તિ કરવાથી મુક્તિની પ્રાપ્તિ થવારૂપ શ્રેષ્ઠ સુખ થાય છે. માટે ઇચ્છાની નિવૃત્તિથી જ મહાન સુખ થાય છે તેમ કહી શકાય નહિ, પરંતુ મુક્તિની ઇચ્છાથી જ મુક્તિનું શ્રેષ્ઠ સુખ થાય છે, એમ કહેવું પડે.
આ પ્રકારની શંકાનું ઉદ્દભાવન કરીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છેગાથા :
मुत्तीए वभिचारो तं णो जं सा जिणेहि पन्नत्ता।
इच्छाविणिवित्तीए चेव फलं पगरिसपत्तं ॥१९७॥ અન્વયાર્થ : | મુત્તી વમવાર (ઇચ્છાવિનિવૃત્તિથી થતા મહાન સુખનો) મુક્તિ સાથે વ્યભિચાર છે, આ પ્રકારની શંકા કરીને ગ્રંથકાર કહે છે.) તે =તે બરાબર નથી; ગં=જે કારણથી રૂછાવિવિ વેવક ઇચ્છાની વિનિવૃત્તિનું જ પરિસંપન્ન પન્ન પ્રકર્ષપ્રાપ્ત ફળ સી==મુક્તિ, નિર્દિ પન્ન જિનો વડે પ્રરૂપાયેલી છે. ગાથાર્થ :
ઇચ્છાની નિવૃત્તિથી શ્રેષ્ઠ સુખ છે એ કથનનો મુક્તિની સાથે વ્યભિચાર છે, આવી શંકા કરીને ગ્રંથકાર કહે છે કે તે કથન બરાબર નથી; જે કારણથી ઇચ્છાની વિનિવૃત્તિના જ પ્રકર્ષથી પ્રાપ્ત થયેલા ફળરૂપ મુક્તિ જિનેશ્વરો વડે કહેવાયેલી છે. ટીકા :
मुक्त्या व्यभिचारः, तत्काङ्क्षणे तत्प्राप्त्यैव सुखभावाद्, एतदाशक्याह - तत् न, यद् = यस्मादसौ = मुक्तिर्जिनैः प्रज्ञप्ता = तीर्थकरैरुक्ता इच्छाविनिवृत्तेरेव फलं, न पुनरिच्छापूर्वकमिति, प्रकर्षप्राप्तं = सामायिकसंयतादेरारभ्योत्कर्षेण निष्ठां प्राप्तमिति गाथार्थः ॥ १९७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org