SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ગાથા ૧ ટીકાર્ય : તથા શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે. અહીં ‘તથા’ પૂર્વકથનના સમુચ્ચયમાં છે અને ‘વૃત્તિ’ કથનની સમાપ્તિમાં છે. 3 શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે તે કથનમાં સાક્ષી આપતાં ઉ વ થી કહે છે મહાપુરુષોનાં પણ શ્રેયકાર્યો બહુ વિઘ્નોવાળાં હોય છે અને અશ્રેયકાર્યમાં પ્રવૃત્ત પુરુષોનાં વિનાયકો = વિઘ્નો, ક્યાંય પણ ચાલ્યાં જાય છે. ઉત્થાન : પ્રસ્તુત ગ્રંથ શ્રેયકાર્યરૂપ છે અને શ્રેયકાર્યોમાં ઘણાં વિઘ્નો આવે છે, માટે પ્રસ્તુત ગ્રંથમાં વિઘ્નોના શમન માટે મંગલાચરણ કરેલ છે, તે વાત બતાવે છે ટીકા : इदं च प्रकरणं सम्यग्ज्ञानहेतुत्वाच्छ्रेयोभूतम्, अतो मा भूद्विघ्न इति विघ्नविनायकोपशान्तये, ટીકાર્ય : અને આ પ્રકરણ સમ્યગ્ જ્ઞાનનો હેતુ હોવાથી શ્રેયોભૂત છે, આથી આ ગ્રંથરચનામાં વિઘ્ન ન થાઓ, એથી કરીને વિઘ્નના વિનાયકની = સમૂહની, ઉપશાંતિ માટે, પ્રથમ ગાથામાં ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે. ઉત્થાન : શિષ્ટાચારના પ્રતિપાલન માટે અને વિઘ્નોના સમુદાયની શાંતિ માટે ગ્રંથકારે કરેલ મંગલાચરણનો પ્રસ્તુત ગાથામાં રહેલ ભાગ બતાવવા અર્થે કહે છે ટીકા : 'नमिऊण वद्धमाणं सम्मं मणवयणकायजोगेहिं संघं च' इत्यनेनेष्टदेवतास्तवमाह, ટીકાર્ય : “મન, વચન, કાયાના યોગો દ્વારા વર્ધમાનસ્વામીને અને સંઘને સમ્યગ્ નમીને” એ પ્રકારના આના દ્વારા = આ કથન દ્વારા, ઇષ્ટદેવતાના = પરમાત્માના, સ્તવને = સ્તુતિને, ગાથાના પૂર્વાર્ધમાં ગ્રંથકાર કહે છે, જેનાથી શિષ્ટોના આચારનું પાલન થાય છે અને ગ્રંથમાં સંભવિત વિઘ્નોનો સમૂહ દૂર થાય છે. વિશેષાર્થ : ભક્તિના ઉપયોગપૂર્વક ઇષ્ટ એવા ૫૨માત્માની સ્તુતિ કરવાથી વિઘ્ન કરનારાં પાપકર્મોનો નાશ થાય છે. તેથી શિષ્ટોનો ઉચિત આચાર છે કે સર્વ કાર્યમાં ઇષ્ટદેવતાનું સ્મરણ કરવું જોઇએ, જેથી પોતાની ઉચિત પ્રવૃત્તિ સમ્યગ્ ફલવાન બને, અને શિષ્ટ પુરુષો પ્રાયઃ કરીને ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે. આથી પોતાની ઉચિત પ્રવૃત્તિ સફળ કરવા અર્થે ગ્રંથકાર ઇષ્ટદેવતાનું સ્મરણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy