________________
૨૨
પ્રવજ્યાવિધાનાવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૮૯
* “' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
અકુશલાનુબંધી પુણ્યથી વિધમાન પણ ઘરાદિમાં દેટ અભિળંગ થાય છે, તે કારણથી અકુશલાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી પાપ જાણવું. ટીકા :
एष च=अभिष्वङ्गः जायते दृढम् =अत्यर्थं सत्स्वपि गेहादिष्विति गम्यते, कुतः? इत्याह-अकुशलानुबन्धिनो मिथ्यानुष्ठानोपात्तात् पुण्याद्, यस्मादेवं तत् = तस्मात्तदपि=अकुशलानुबन्धि पुण्यं ज्ञेयं परमार्थतः पापं, सङ्क्लेशहेतुत्वादिति गाथार्थः ।।१८९॥ * “સંતે વિ'માં “પ' દ્વારા એ કહેવું છે કે અકુશલાનુબંધી પુણ્યથી અવિધમાન ગૃહાદિમાં તો દઢ અભિવૃંગ. થાય છે, પરંતુ વિદ્યમાન પણ ગૃહાદિમાં દૃઢ અભિધ્વંગ થાય છે. કે “પિ''માં 'આપ' દ્વારા એ સમુચ્ચય કરવો છે કે અકુશલાનુબંધી પાપ તો પાપ જાણવું જ, પરંતુ અકુશલાનુબંધી તે પણ = પુણ્ય પણ, પાપ જાણવું. ટીકાર્ય :
અને વિદ્યમાન પણ ઘરાદિમાં દઢ=અત્યર્થ અત્યંત, આ અભિન્કંગ, ઉત્પન્ન થાય છે. ક્યા કારણથી? એથી કહે છે- મિથ્યા અનુષ્ઠાન દ્વારા ઉપાર્જાયેલ અકુશલાનુબંધવાળું પુણ્ય હોવાથી વિદ્યમાન પણ ઘરાદિમાં દઢ અભિન્ડંગ થાય છે. જે કારણથી આમ છે=અકુશલાનુબંધી પુણ્યથી દઢ અભિન્ડંગ થાય છે, તે કારણથી તે પણ=અકુશલાનુબંધવાળું પુણ્ય પણ, પરમાર્થથી પાપ જાણવું; કેમ કે અકુશલાનુબંધી પુણ્યમાં સંક્લેશનું હેતુપણું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ભૂતકાળમાં બાંધેલ પાપાનુબંધી પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલ ગૃહાદિમાં જીવને અત્યંત અભિવૃંગ થાય છે. તેથી પાપાનુબંધી પુણ્ય પણ પરમાર્થથી સંક્લેશનો હેતુ હોવાને કારણે પાપ છે.
વળી, પાપાનુબંધી પુણ્ય ભૂતકાળમાં સેવેલ મિથ્યાધર્મના અનુષ્ઠાનથી બંધાય છે અર્થાત્ ધર્મનું અનુષ્ઠાન ગુણો વિકસાવવા માટે ન કર્યું હોય, પરંતુ અન્ય કોઈ ભૌતિક આશયથી કર્યું હોય, તો તે ધર્મના અનુષ્ઠાનથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે, જે પુણ્ય સંક્લેશનું કારણ છે. તેથી આવા અકુશલાનુબંધી પુણ્ય દ્વારા પ્રાપ્ત થયેલા ગૃહાદિમાં પણ જીવને અત્યંત અભિન્કંગ પેદા થાય છે. I૧૮લા અવતારણિકા :
તથા ચં
અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે પાપાનુબંધીપુણ્યના ઉદયથી વિદ્યમાન પણ ગૃહાદિમાં દઢ અભિવંગ થાય છે, અને તે રીતે દઢ અભિવંગ થવાથી શું થાય છે? તે બતાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org