________________
૨૬૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૮૭-૧૮૮ વળી, કેવલ સંયમના ઉપષ્ટભક એવા દેહપાલન માટે સાધુ આહારાદિની યાચના કરે છે અને આહારાદિ ન મળે તોપણ નિરાશસભાવથી તપવૃદ્ધિમાં યત્ન કરે છે અને સંયમનો પરિણામ વર્તતો હોવાથી સાધુઓને લેશ પણ સંક્લેશ પ્રાપ્ત થતો નથી. આથી મુનિને સર્વથા સંક્લેશ નથી; જયારે ગૃહસ્થને તો ઘર, ધનાદિ સર્વ પદાર્થો પ્રત્યે મમત્વ હોવાથી ધાર્યા પ્રમાણે ન મળે તોપણ ક્લેશ થાય છે, અને મળે તોપણ તે ઘર, ધનાદિના રક્ષણ, પાલન વગેરેમાં ક્લેશ થાય છે, અને અંતે તે સર્વનો નાશ થાય તોપણ ક્લેશ થાય છે. તેથી ગૃહવાસ પાપરૂપ છે અને ગૃહવાસનો પરિત્યાગ સર્વ સંક્લેશથી રહિત હોવાથી પુણ્યરૂપ છે, એ પ્રકારનો ગ્રંથકારનો આશય છે. ૧૮થા અવતરણિકા :
एतदेव समर्थयतिઅવતરણિકાર્ય :
પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે ગૃહાદિનો ત્યાગ કરનારને ઘર વગેરેમાં અભિવૃંગ હોય તો તેને સંક્લેશવાળી વેદના થઈ શકે, અન્યથા નહીં. એ કથનનું જ સમર્થન કરે છે
ગાથા :
जो एत्थ अभिस्संगो संतासंतेसु पावहेउत्ति। अट्टज्झाणविअप्पो स इमीए संगओ रू वं ॥१८८॥
અન્વયાર્થ :
સ્થ=અહીં=લોકમાં, સંતાકુકસતુ કે અસત્ એવા ગૃહાદિમાં પાહે નોકપાપનો હેતુ એવો જે મટ્ટા વિખો=આર્તધ્યાનના વિકલ્પરૂપ મો=અભિવૃંગ છે, સકતે રૂમ =આનું= સંક્લિષ્ટ વેદનાનું, રંગો વં=સંગત રૂપ છે. * “ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
લોકમાં વિધમાન કે અવિધમાન એવા ગૃહાદિમાં પાપનું કારણ એવો જે આર્તધ્યાનના વિકલ્પરૂપ અભિળંગ છે, તે સંક્લિષ્ટ વેદનાનું ઉચિત સ્વરૂપ છે.
ટીકા :
योऽत्र लोकेऽभिष्वङ्गो-मू लक्षणः सदसत्सु गेहादिषु पापहेतुरिति पापकारणं आर्त्तध्यानविकल्पः= अशुभध्यानभेदोऽभिष्वङ्गः स खलु अस्याः सक्लिष्टाया वेदनायाः सङ्गतो रूपम्=उचितस्वरूपमिति गाथार्थः॥१८८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org