SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૯ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘ક’ દ્વાર | ગાથા ૧૮૦ સ્વરૂપ) ગુજ્ઞ=ઘટે છે. તમારે તેના અભાવમાંeગૃહાદિમાં અભિવૃંગના અભાવમાં, (સાધુમાં તે સ્વરૂપ) ત્રાગુત્ત=સર્વથા અયુક્ત છેeઘટતું નથી. ગાથાર્થ : અથ થી આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે કે ગૃહાદિના અભાવમાં જે વેદના છે, તે સંકિલષ્ટ વેદનાનું સ્વરૂપ તમારા વડે સવીકારાયેલું છે, અને ઘર, ધનાદિમાં અભિલાષ હોય તો સાધુમાં તે સવરૂપ ઘટે છે, ગૃહાદિમાં અભિલાષના અભાવમાં સાધુમાં તે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ સર્વથા ઘટતું નથી. ટીકા : गेहादीनां = गृहधनादीनामभावे या वेदना तद्रूपमस्या: = सक्लिष्टायाः वेदनायाः अथेष्टम् = अभ्युपगतं भवता, एतदाशङ्क्याह-युज्यते एतद्रूपं तस्याः तदभिष्वङ्गे = गेहादिष्वभिलाषे सति, तदभावे = अभिष्वङ्गाभावे सर्वथा = एकान्तेनायुक्तं तद्रूपमस्या:, निरभिष्वङ्गस्य सङ्क्लेशायोगादिति गाथार्थः॥१८७॥ ટીકાર્ય : અથ થી ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે- ગૃહ, ધનાદિના અભાવમાં જે વેદના છે તે આનું = સંક્લિષ્ટ વેદનાનું, રૂપ = સ્વરૂપ, ઇચ્છાયું છે તમારા વડે સ્વીકારાયું છે. એની આશંકા કરીને ગ્રંથકાર કહે છે- તેમાં અભિન્કંગ હોતે છતે = ગૃહાદિમાં અભિલાષ હોતે છતે = ગૃહાદિમાં સાધુને અભિલાષ હોતે છતે, તેનું = સંક્લિષ્ટ વેદનાનું, આ રૂપ = પૂર્વપક્ષીએ ઉપરમાં કહ્યું એ સ્વરૂપ, ઘટે છે = સાધુમાં સંગત થાય છે. તેનો અભાવ હોતે છતે = અભિવૃંગનો અભાવ હોતે છતે = સાધુને ગૃહાદિમાં અભિલાષ નહીં હોતે છતે, આનું = સંલિષ્ટ વેદનાનું, તે રૂપ = પૂર્વપક્ષીએ કહ્યું તે સ્વરૂપ, સર્વથા = એકાંતથી, અયુક્ત છે =સાધુમાં ઘટતું નથી, કેમ કે નિરભિમ્પંગને = અભિલાષ વગરના સાધુને, સંક્લેશનો અયોગ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં આચાર્યએ પૂર્વપક્ષીને પૂછયું કે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થને ધનના ઉપાદાનાદિમાં સંક્લેશ થતો નથી? તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે કે ઘર, ધનાદિ ન હોય અને જે પીડા થાય તે સંક્લેશરૂપ છે, આથી ગૃહસ્થ તે પીડાના પરિવાર માટે ધનાર્જન વગેરેમાં યત્ન કરે છે. માટે ધનાર્જન વગેરેમાં યત્ન કરવો એ પીડાના પરિવારનો ઉપાય છે; અને જેની પાસે ઘર, ધનાદિ કંઈ નથી, તેને સદા નવું નવું સ્થાન વગેરે શોધવું પડે અને ભોજનાદિ માટે જ્યાં ત્યાં યાચના કરવી પડે, તે સંક્લેશરૂપ છે. આ પ્રકારના પૂર્વપક્ષીના અભિપ્રાયને સામે રાખીને આચાર્ય કહે છે કે સાધુને ઘર, ભોજન-પાણી વગેરેનો અભિલાષ હોય અને તે ન મળે તો સંક્લેશવાળી વેદના થાય; પરંતુ ગૃહવાસનો ત્યાગ કરનાર સાધુને સર્વથા અભિવૃંગ હોતો નથી, અને અભિવૃંગના અભાવમાં સર્વથા સંક્લેશનો અભાવ હોય છે. આશય એ છે કે પ્રવ્રજ્યા ગ્રહણ કરનાર મુમુક્ષુ માત્ર બાહ્ય એવા ગૃહ વગેરેનો જ ત્યાગ કરતા નથી, પરંતુ ઘર, ધનાદિ ઉપરના રાગનો પણ ત્યાગ કરે છે. આથી રહેવાનું સ્થાન ન મળે તો પણ સાધુ ઉપવનાદિમાં રહીને ધ્યાન, સ્વાધ્યાયાદિમાં યત્ન કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy