SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૮ પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ” હાર ગાથા ૧૮૬-૧૮૦ સંક્લિષ્ટ એવી વેદનાનું, સ્વરૂપ શું છે? જેથી આ પણ = ગૃહસ્થોની અર્થના ઉપાદાન-પાલનાદિની વેદના પણ, સંક્લિષ્ટ નથી થતી? “અર્થોપાલાનપાનનાવિષ” માં મારિ શબ્દથી નાશ વગેરેનો પરિગ્રહ છે અને નારિ” માં મારિ પદથી અર્થના રક્ષણનો સંગ્રહ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વગાથામાં આચાર્યએ પૂર્વપક્ષીને પૂછેલું કે પુણ્ય-પાપનું સ્વરૂપ શું છે? ત્યારે પૂર્વપક્ષીએ ઉત્તર આપેલો કે જે સ્વરૂપથી સંક્લિષ્ટ હોય અને સંક્લેશ વડે અનુભવાય તે પાપ છે અને તેનાથી વિપરીત પુણ્ય છે. ત્યાં આચાર્ય પૂર્વપક્ષીને કહે છે કે પુણ્ય-પાપનું લક્ષણ આવું હોવાથી ગૃહવાસનો ત્યાગ પાપના ઉદયથી થતો હોય તો, ગૃહવાસમાં રહેનારને ધન કમાવવામાં, ધનના પાલનમાં, રક્ષણમાં અને નાશમાં આર્તધ્યાન થતું હોવાથી તે આર્તધ્યાનરૂપ પીડા એ સંક્લેશ નથી? અર્થાત્ સંક્લેશ જ છે. માટે તારા જ મત પ્રમાણે ગૃહવાસને પણ પાપરૂપે સ્વીકારવો પડશે અને ગૃહવાસના ત્યાગને અર્થના ઉપાર્જન, પાલનાદિની પીડાથી રહિત સ્વીકારવો પડશે, જેથી ગૃહવાસનો ત્યાગ પાપરૂપ તું નહીં કહી શકે. આ પ્રકારના આચાર્યના કથન સામે પૂર્વપક્ષી કહે કે અર્થોપાદાનાદિ ક્રિયાઓ સંક્લેશરૂપ નથી; કેમ કે તે જીવનની આવશ્યકતા પૂરી કરવાના ઉપાયરૂપ છે. તેને આચાર્ય કહે છે કે તો પછી સંક્લેશવાળી વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થની અર્થોપાદાનાદિ ક્રિયાઓ પણ સંક્લેશરૂપ નથી થતી? આ પ્રકારના આચાર્યના પ્રશ્નનો જવાબ પૂર્વપક્ષી સ્વયં આગળની ગાથામાં આપશે. ૧૮૬ll અવતરણિકા : पराभिप्रायमाशय परिहरन्नाहઅવતરણિકાર્ય : પૂર્વગાથાના અંતે ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછેલ કે સંક્લિષ્ટ વેદનાનું સ્વરૂપ શું છે?, જેથી ગૃહસ્થની ધનના ઉપાદાનાદિ ક્રિયાઓ સંક્લેશરૂપ બનતી નથી ? તેના સમાધાનરૂપે પૂર્વપક્ષીનો જે અભિપ્રાય બને તે રૂપ પરના પૂર્વપક્ષીના, અભિપ્રાયની આશંકા કરીને તે વેદનાનો સાધુમાં પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : गेहाईणमभावे जा तं रू वं इमीए अह इटुं। जुज्जइ अ तयभिसंगे तदभावे सव्वहाऽजुत्तं ॥१८७ ॥ અન્વયાર્થી : મદ-૩થ થી આચાર્ય પૂર્વપક્ષીને કહે છે- નેફામા =ગૃહાદિના અભાવમાં ના=જે (વેદના) છે, તંતે રૂમ =આનું=સંક્લિષ્ટ વેદનાનું, રૂવં=રૂપઃસ્વરૂપ, (તમારા વડે) રૂટું=ઈચ્છાયેલ છે. તમને =અને તેમાં અભિવૃંગ હોતે છતે=ઘર, ધનાદિમાં અભિલાષ હોતે છતે, (સાધુમાં તે સંક્લિષ્ટ વેદનાનું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy