________________
૨૫૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | કથે હાર | ગાથા ૧૮૫
ગાથાર્થ :
આચાર્ય પૂર્વપક્ષીને પૂછે છે કે પાપનું સ્વરૂપ શું છે? અને પુણ્યનું સ્વરૂપ શું છે? તેનો જવાબ પૂર્વપક્ષી આપે છે કે જે સંક્લિષ્ટ છે અને સંલેશ વડે જ અનુભવાય છે તે પાપ છે, જે પાપથી વિપરીત હોય તે પુણ્ય છે. ટીકા :
'पापात्परित्यजन्ति पुण्योपात्तं गृहाश्रमं' इति परमतम्, आचार्यस्त्वाह-किं पापस्य स्वरूपं किंवा पुण्यस्य? इति अभिप्रायस्य (? अभिप्रेत्य) पुण्यपापयोर्यथा सम्यग्लक्षणं तथा कुशलानुबन्धिनः पुण्यात् परित्यजन्ति गृहवासमित्येतच्च वक्ष्यति, परस्तु तयोः स्वरूपमाह-सक्लिष्टं = मलिनं यत्स्वरूपतो वेद्यते च अनुभूयते तेनैव = सक्लेशेनैव तत्पापं, पुण्यमितरदिति यदसङ्क्लिष्टमसङ्क्लेशेनैव च वेद्यत इति गाथार्थः ॥१८५॥ નોંધ :
ટીકામાં પ્રાથર્યા છે, તેને ઠેકાણે પ્રેત્ય' હોવું જોઇએ, પાઠશુદ્ધિ. મળી નથી. ટીકાર્ય :
પાપાત્ ... પરમત પુણ્યથી ઉપાર્જેલા ગૃહાશ્રમને પાપથી પરિત્યજે છે, એ પ્રકારનો પરમત છે = પરનો અભિપ્રાય છે.
માવાઈસ્વીદ... સ્વરૂપમાદ- વળી આચાર્ય કહે છે- પાપનું સ્વરૂપ શું અને પુણ્યનું સ્વરૂપ શું? એ પ્રકારનો અભિપ્રાય રાખીને જે પ્રકારે પુણ્ય અને પાપનું સમ્યગુ લક્ષણ છે = સાચું સ્વરૂપ છે, તે પ્રકારે અને કુશલાનુબંધવાળાઓ પુણ્યથી ગૃહવાસને ત્યજે છે, એ પ્રકારના કથનને ગ્રંથકાર હવે કહેશે. પરંતુ પુણ્ય-પાપનું સ્વરૂપ શું છે? એવો ગ્રંથકારે પૂર્વપક્ષીને કરેલ પ્રશ્નનો ઉત્તર આપવા માટે વળી પર = પૂર્વપક્ષી, તે બેના = પુણ્ય અને પાપના, સ્વરૂપને કહે છે
સવિત્નથું થાર્થ: જે સ્વરૂપથી સંક્લિષ્ટ છે = મલિન છે, અને તેના વડે જ = સંક્લેશ વડે જ વેદાય છે = અનુભવાય છે, તે પાપ છે. ઈતર = જે અસંક્લિષ્ટ છે અર્થાત્ સંક્લેશ વગરનું છે, અને અસંક્લેશથી જ = સંક્લેશ વગર જ, વેદાય છે તે પુણ્ય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પાપના ઉદયથી ગૃહવાસનો ત્યાગ થાય છે અને શુભધ્યાનથી થતો ધર્મ પ્રવ્રુજિતને થઈ શકે નહિ, એમ કહેતા પૂર્વપક્ષીને આચાર્ય પૂછે છે કે પાપનું સ્વરૂપ શું છે? અને પુણ્યનું સ્વરૂપ શું છે? આ પ્રકારનો પ્રશ્ન ગ્રંથકારે, ખરેખર પુણ્ય-પાપનું સાચું લક્ષણ જે પ્રકારે છે અને સાધુ પુણ્યાનુબંધી પુણ્યથી ગૃહવાસનો ત્યાગ કરે છે, એ બંને વાત આગળ કહેવાની છે એનો અભિપ્રાય રાખીને પૂર્વપક્ષીને પૂછેલ છે અને ગ્રંથકારે પૂછેલ તે પ્રશ્નનો જવાબ આપતાં પૂર્વપક્ષી કહે છે કે જે સ્વરૂપથી મલિન દેખાય છે, અને જેનો અનુભવ જીવ સંક્લેશથી જ કરે છે, તે પાપ છે; અને સાધુજીવન પણ ભોગસામગ્રી, રહેવાનું સ્થાન વગેરેથી રહિત હોવાથી સ્વરૂપથી સંક્લેશવાળું છે અને સાધુજીવનના કષ્ટો પણ સાધુ સંક્લેશ વડે જ અનુભવે છે, તેથી અગારવાસનો પરિત્યાગ પાપરૂપ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org