________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૭૯
ટીકા :
कादाचित्कभावकथनं भरतादीनामतिशयादिरूपं यत्, तदपि तत्पूर्वकं = जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानपूर्वकं जिना ब्रुवते, तदभावे च = जन्मान्तराभ्यस्तप्रव्रज्याविधानाभावे च, न युक्तं तदपि = कादाचित्कभावकथनं, यत एवमेष विधिः अनन्तरोदितः प्रव्रज्यायाः ततो न्याय्य इति गाथार्थः ॥ १७९॥
૨૪૯
★
‘“મરતાવીનામતિશયાવિરૂપં” માં ‘અતિશય' શબ્દથી દ્રવ્યદીક્ષા ગ્રહણ કર્યા વગર ભરતાદિને સીધું કેવલજ્ઞાન પ્રાપ્ત થયું તેનું ગ્રહણ કરવાનું છે, અને સાર્િ પદથી દ્રવ્યદીક્ષા વગર જ ભરતાદિને પ્રાપ્ત થયેલ ભાવદીક્ષાનું ગ્રહણ કરવાનુંછે.
ટીકાર્થ :
ભરતાદિના અતિશયાદિરૂપ જે કાદાચિત્કભાવનું કથન છે=ક્યારેક થનારા ભાવનું કથન છે, તે પણ તેના પૂર્વક=જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રજ્યાના વિધાનપૂર્વક, જિનો કહે છે; અને તેના અભાવમાં= જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રજ્યાના વિધાનના અભાવમાં, તે પણ=કાદાચિત્કભાવનું કથન પણ, યુક્ત નથી. જે કારણથી આમ છે=જન્માંતરમાં પ્રવ્રજ્યાવિધાનના અભ્યાસ વગર કાદાચિત્કભાવનું કથન યુક્ત નથી એમ છે, તે કારણથી, આ=પૂર્વમાં કેહેવાયેલ, પ્રવ્રજ્યાની વિધિ ન્યાય છે=યુક્તિયુક્ત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વપક્ષીએ ગાથા-૧૬૫ માં કહેલ કે ભરતાદિકે દ્રવ્યપ્રવ્રજ્યા ગ્રહણ કરેલ ન હતી, છતાં પણ તેઓને વિરતિનો ગામ થયો, તેથી કલ્યાણના અર્થીએ વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઇએ, વિરતિના ગ્રહણમાં નહિ. તેન ગ્રંથકાર કહે છે કે દ્રવ્યપ્રવ્રજ્યા ગ્રહણ કર્યા વગર ભરતાદિને ભાવપ્રવ્રજ્યાની પ્રાપ્તિ થઇ અને કેવલજ્ઞાનરૂપ અતિશય પ્રાપ્ત થયો, રૂપ ક્યારેક થનારો ભાવ પણ જન્માંત૨માં અભ્યસ્ત કરાયેલા પ્રવ્રજ્યાના વિધાનપૂર્વક છે, અર્થાત્ પૂર્વભવોમાં પાળેલ દ્રવ્યચારિત્રથી ભરતાદિને આ ભવમાં આવો કાદાચિત્કભાવ પ્રગટ થયેલો છે, એમ જિનેશ્વરો કહે છે. આથી જન્માંત૨માં દ્રવ્યદીક્ષાપૂર્વક ભાવદીક્ષાનું સેવન કર્યા વગર ક્યારેક થનારો એવો ભાવથી વિરતિનો પરિણામ પણ થઇ શકે નહિ. તેથી પૂર્વમાં બતાવેલી પ્રવ્રજ્યાગ્રહણની વિધિ સંગત છે. ।।૧૭૯
અવતરણિકા :
ગાથા-૧૬૩ માં દીક્ષાની વિધિ પૂરી થઇ ત્યારપછી પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિને અનુચિત સ્થાપન કરવા માટે પૂર્વપક્ષીએ ગાથા-૧૬૪ થી ૧૬૭માં નિશ્ચયનયનું અવલંબન લઇને કહ્યું કે બાહ્યદીક્ષાનાગ્રહણમાં યત્ન કરવા કરતાં વિરતિના પરિણામમાં જ યત્ન કરવો ઉચિત છે. તેનું ગ્રંથકારે ગાથા-૧૬૮ થી ૧૭૯ માં નિરાકરણ કર્યું અને સ્થાપન કર્યું કે વિરતિના પરિણામ માટે વિધિપૂર્વક બાહ્યદીક્ષા ગ્રહણ કરવી ઉચિત છે.
હવે અન્ય કેટલાક વાદીઓ દીક્ષાગ્રહણને પાપના ફળરૂપે કહે છે, તેનું નિરાકરણ કરવા અર્થે પ્રથમ તે મતનું સ્થાપન કરતાં ગ્રંથકાર કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org