________________
૨૪૮
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૦૯
અવતરણિકા :
यच्चात्र भरतायुदाहरणमुक्तं तदङ्गीकृत्याहઅવતરણિતાર્થ :
અને અહીં=પ્રવ્રજ્યાગ્રહણના વિષયમાં, પૂર્વપક્ષી દ્વારા ગાથા-૧૬૫ માં જે ભરતાદિનું ઉદાહરણ કહેવાયું હતું, તેને આશ્રયીને ગ્રંથકાર કહે છેઅવતરણિકાનો ભાવાર્થ :
ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ કહેલ કે વિરતિનો પરિણામ એ ભાવથી પ્રવ્રયા છે, તેથી વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઈએ, પરંતુ દીક્ષાગ્રહણની ક્રિયામાં યત્ન કરવો જોઈએ નહિ; અને તેની પુષ્ટિ કરતાં ગાથા-૧૬૫ માં પૂર્વપક્ષીએ કહેલ કે ભરતાદિ મહાપુરુષોએ પ્રવ્રજ્યા ગ્રહણ કરી ન હતી, છતાં તેઓને વિરતિનો પરિણામ થયો. માટે ચૈત્યવંદનાદિ પ્રવ્રજ્યાવિધાનની આવશ્યકતા નથી.
વળી, એ કથનનું ગાથા-૧૭૧ માં સમાધાન કરતાં ગ્રંથકારે કહેલ કે જિનશાસન નિશ્ચયનય અને વ્યવહારનય પર ચાલે છે, તેથી જિનવચન માનનારે ભરતાદિના દૃષ્ટાંત દ્વારા વ્યવહારનયનો અપલાપ કરીને વ્રજ્યાના ચૈત્યવંદનાદિ વિધાનકરણનો નિષેધ કરવો ઉચિત નથી. તે વાતમાં કંઈક વિશેષ કહેવું આવશ્યક લાગવાથી ગ્રંથકાર સિંહાવલોકિતન્યાય દ્વારા ફરી તે કથનનું સ્મરણ કરીને પ્રસ્તુત ગાથામાં સમાધાન કરે છે
ગાથા :
आहच्चभावकहणं तं पिहु तप्पुव्वयं जिणा बिंति । तयभावे ण य जुत्तं तयं पि एसो विही तेणं ॥१७९॥
અન્વયાર્થ :
મહિષ્યમાવલ = (ભરતાદિના અતિશયાદિરૂપ છે) કાદાચિત્કભાવનું કથન છે, તે પિ = તે પણ તપુથ્વયં = તેના પૂર્વક = જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રયાનાવિધાનપૂર્વક, નિજી દ્વિતિ = જિનો કહે છે; તમારે = અને તેના અભાવમાં = જન્માંતરમાં અભ્યસ્ત પ્રવ્રયાવિધાનના અભાવમાં, તયં પિત્ર તે પણ =કાદાચિત્કભાવનું કથન પણ, ' ગુજં = યુક્ત નથી. તેur = તે કારણથી પણ વિઠ્ઠી = આ વિધિ (ન્યાય) છે.
* “દુ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
ભરતાદિના અતિશયાદિરૂપ જે કાદાચિકભાવનું કથન છે, તે પણ જન્માંતરમાં કરાયેલા પ્રવજ્યાવિધિના સેવનપૂર્વક છે, એમ જિનેશ્વરો કહે છે અને જન્માંતરમાં કરાયેલા પ્રવજ્યાવિધિના સેવનના અભાવમાં આવા કદાચિત્કભાવનું કથન પણ યોગ્ય નથી, તેથી આ વિધિ સંગત છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org