________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કર્થ' દ્વાર | ગાથા ૧૦૦-૧૦૮
૨૪૫
ટીકાર્ય :
જે કારણથી આમ છે = મોટાભાગના જીવોને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવજ્યા ગ્રહણ કરવાથી વિરતિનો પરિણામ થાય છે અને શુદ્ધ પરિણામ હોવાને કારણે ગુને ગુણો થાય છે, તે કારણથી જ, આ = પૂર્વમાં કહેવાયેલ પ્રવજ્યાના ચૈત્યવંદનાદિ વિધાનનું કરણ યુક્ત જ છે. ક્યા કારણથી યુક્ત છે? એથી હેતુને કહે છે
ગુણનો ભાવ છે = પૂર્વગાથામાં કહેવાયેલ ન્યાયથી કર્મલયાદિરૂપ ગુણનો સદ્ભાવ છે. પ્રસ્તુત વિધાનના અકરણમાં = પ્રવ્રજ્યાની ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક પ્રવ્રજ્યાગ્રહણ નહીં કરવામાં, તીર્થોચ્છેદાદિ દોષો થાય છે અર્થાત તીર્થનો ઉચ્છેદ થાય છે અને સત્ત્વોમાં = જીવોમાં, અનુકંપા થતી નથી, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગાથા-૧૬૪ માં પૂર્વપક્ષીએ સ્થાપન કરેલ કે ભાવથી પ્રવજ્યા વિરતિના પરિણામરૂપ છે, આથી વિરતિના પરિણામમાં યત્ન કરવો જોઇએ, પરંતુ ચૈત્યવંદનાદિ ક્રિયાકલાપ વડે શું? તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારે ગાથા-૧૬૮ માં કહ્યું કે ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકના આરોપણનો વ્યતિકર પ્રાયઃ કરીને વિરતિના પરિણામનો ઉપાય હોવાથી આ વિધિથી પ્રાયઃ વિરતિનો પરિણામ પ્રગટ થાય છે અને પ્રગટ થયેલો વિરતિનો પરિણામ સ્થિર થાય છે, અને ગાથા-૧૭૬ માં કહ્યું તેમ શિષ્યને દુઃખોથી મુક્ત કરાવવાના આશયવાળા ગુરુને પણ કર્મક્ષયાદિ લાભ થાય છે. આ સર્વ કથનનું નિગમન કરતાં ગ્રંથકાર કહે છે
પ્રવ્રયાની ચૈત્યવંદનાદિ વિધિ કરવી યોગ્ય જ છે; કેમ કે આ વિધિ કરવાથી દીક્ષા આપનારને કર્મક્ષયાદિ લાભ થાય છે; પરંતુ જો આ વિધિ કરવામાં ન આવે તો આચરણાત્મક ચારિત્ર ગ્રહણ કરવાનું રહે નહિ અને માત્ર ગૃહવાસમાં રહીને વિરતિના પરિણામમાં યત્ન કરવાનો રહે, જેના કારણે સાધુસાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘસ્વરૂપ જિનશાસન નહીં ચાલવાથી તીર્થનો ઉચ્છેદ થાય, અને પ્રવ્રયા ગ્રહણ કરીને સાધુવેશના આલંબનથી કેટલાક જીવોને વિરતિનો પરિણામ થતો હતો તે પણ નહીં થઈ શકવાથી તેવા જીવો પર અનુકંપાનો અભાવ પ્રાપ્ત થાય. આથી પણ ગુરુએ યોગ્ય શિષ્યને પ્રવ્રયા આપવી જોઈએ.. ૧૭૭ છે. અવતરણિકા :
एतदेव भावयतिઅવતરણિકાર્ય :
પૂર્વગાથામાં કહ્યું કે યોગ્ય શિષ્યને ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક દીક્ષા આપવામાં ન આવે તો તીર્થોચ્છેદાદિ દોષો પ્રાપ્ત થાય. એનું જ ભાવન કરે છેગાથા :
छउमत्थो परिणामं सम्मं नो मुणइ ताण देइ तओ।
न य अइसओ अ तीए विणा कहंधम्मचरणं तु? ॥१७८ ॥ અન્વયાર્થ :
છ૩મલ્યો છvસ્થ પરિ=(શિષ્યના) પરિણામને સનમુ$િસમ્યગુ જાણતા નથી, તી તે કારણથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org