________________
૨૪૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૬-૧૦૦ “માસિિમઃ” માં માઃિ શબ્દથી સંપૂર્ણ પર્ષદા વગેરેનો પરિગ્રહ છે, અને “સપૂવર્ષમાં મારિ પદથી વૈયાવચ્ચાદિની ઈચ્છાનો સંગ્રહ કરવાનો છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંસારથી વિરક્ત એવા ગુરુ, “મને શિષ્યની પ્રાપ્તિ થાઓ” એવી આશંસા વગરના હોય છે “મારી વિશાળ પર્ષદા થાય તેવી અભિલાષા વગરના હોય છે, અને “દીક્ષા લઇને આ શિષ્ય મારી વૈયાવચ્ચાદિ કરે” તેવી પણ ઇચ્છા વગરના હોય છે; ફક્ત યોગ્યતાવાળા જીવને સંસારનાં દુઃખોમાંથી મુક્ત કરવાના આશયથી આવા ગુરુ દીક્ષા આપે છે.
આ રીતે યોગ્ય જીવને દીક્ષા આપ્યા પછી કોઇક કર્મના નિમિત્તથી તે યોગ્ય પણ શિષ્ય અનુચિત કરનાર બની શકે છે, અથવા ગુરુ છદ્મસ્થ હોવાને કારણે અયોગ્ય પણ શિષ્યમાં યોગ્યતાનો ભ્રમ ગુરુને થઈ શકે છે; તોપણ શુભ અધ્યવસાય હોવાને કારણે વિધિપૂર્વક દીક્ષા આપનાર ગુરુને નિયમથી કર્મક્ષયાદિરૂપ લાભ થાય છે. I૧૭૬l
ગાથા :
तम्हा उजुत्तमेअंपव्वज्जाए विहाणकरणं तु। गुणभावओ अकरणे तित्थुच्छेआइआ दोसा ॥१७७॥
અન્વયાર્થ :
તહાં ૩= તે કારણથી જ પદ્મ પધ્વજ્ઞાણ વિહાર = આ પ્રવ્રયાના વિધાનનું કરણ નુત્ત તું = યુક્ત જ છે; "THવો = કેમ કે (ગુરુને કર્મક્ષયાદિ) ગુણનો ભાવ છે. મને = (પ્રવ્રજ્યાના વિધાનના) અકરણમાં તિજુછેગ્રાફર્સ હોસા = તીર્થનો ઉચ્છેદાદિ દોષો થાય છે. * ‘’ અને ‘તુ' વકાર અર્થમાં છે.
ગાથાર્થ :
તે કારણથી જ આ પ્રવજ્યાની વિધિનું કરણ યુક્ત જ છે; કેમ કે ગુરુને કર્મચાદિ લાભ થાય છે. પ્રવજ્યાની વિધિના અકરણમાં તીર્થનો ઉચ્છેદ વગેરે દોષો થાય છે. ટીકા : __ यस्मादेवं तस्मात्तु युक्तमेतद् = अनन्तरोदितं प्रव्रज्याया विधानकरणं तु चैत्यवन्दनादि, कुत इत्याहगुणभावतः = उक्तन्यायात् कर्मक्षयादिगुणभावाद्,अकरणे प्रस्तुतविधानस्य तीर्थोच्छेदादयो दोषा: = तीर्थोच्छेदः सत्त्वेषु न चानुकम्पेति गाथार्थः ॥१७७ ॥ * “વફા ” માં આવિ શબ્દથી મોહનીયકર્મનો ક્ષયોપશમ અને મોક્ષને અનુકૂળ એવી પુણ્યપ્રકૃતિની પ્રાપ્તિનું ગ્રહણ કરવાનું છે અને ‘' શબ્દથી પાપપ્રકૃતિનું ગ્રહણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org