SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર | ગાથા ૧૦૩-૧૦૪ ભાવાર્થ : વ્યવહારનયના સ્થાને વ્યવહારનયનું અવલંબન લઇને ચૈત્યવંદનાદિની વિધિપૂર્વક પ્રવ્રજ્યા ગ્રહણ કરતાં યોગ્ય જીવને ચૈત્યવંદનાદિની ક્રિયાકાળમાં ક્રિયાના બળથી શુભભાવો પ્રગટે છે અને શુભભાવપૂર્વક જ્યારે પ્રવ્રજ્યાગ્રહણની વિધિ પૂરી થાય છે ત્યારે તે યોગ્ય જીવને શુભ અધ્યવસાય થાય કે “મેં શાસ્ત્રોક્ત વિધિથી પ્રવ્રજ્યા ગ્રહણ કરી છે, માટે હવે શાસ્ત્રોક્ત મર્યાદાથી મારે સંયમપાલનમાં ઉચિત યત્ન કરવો જોઇએ, જેથી હું સંસારસાગરથી તરી શકું”. આ પ્રકારનો શુભ પરિણામ થવાથી નિયમથી તે જીવના જ્ઞાનાવરણીયાદિ કર્મોના ઉપશમાદિ થાય છે, અર્થાત્ પ્રવ્રજ્યા ગ્રહણ કરવાથી તેવા પ્રકારના શુભ પરિણામ દ્વારા યોગ્ય જીવોની જ્ઞાનાભ્યાસમાં અને ચારિત્રાચારના પાલનમાં ઉચિત પ્રવૃત્તિ થવાથી જ્ઞાનાવરણીય અને ચારિત્રમોહનીય કર્મનો ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમ થાય છે. અને જ્ઞાનાવરણીયાદિ કર્મના ઉપશમાદિ થવાથી જીવને વિરતિનો પરિણામ થાય છે, અને તે વિરતિનો પરિણામ નિશ્ચયનયને પ્રવ્રજ્યાવિધાનરૂપે સંમત છે. તેથી એ ફલિત થયું કે નિશ્ચયનયને સંમત એવી વિરતિના પરિણામરૂપ ભાવપ્રવ્રજ્યાપ્રાપ્તિનું કારણ, વ્યવહારનયની ચૈત્યવંદનાદિવિધિપૂર્વક સામાયિકના આરોપણરૂપ પ્રવ્રજ્યાનું વિધાન કરવા સ્વરૂપ ઉચિત પ્રવૃત્તિ છે. માટે નિશ્ચયનયની દષ્ટિવાળા જીવે વિરતિના પરિણામ અર્થે પણ વિરતિના પરિણામની પ્રાપ્તિના ઉપાયભૂત એવી વ્યવહારનયની પ્રવૃત્તિમાં યત્ન કરવો જોઇએ. ।।૧૭૩ અવતરણિકા : यच्वोक्तं 'सति तस्मिन्निदं विफलं ' इत्यादि, तन्निराकरणार्थमाह ૨૩૯ અવતરણિકાર્થ : ગાથા-૧૬૪ ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૧૬૮ થી ૧૭૦ માં આપ્યો, અને ગાથા૧૬૫-૧૬૬ ના પૂર્વપક્ષીના કથનનો ઉત્તર ગ્રંથકારે ગાથા-૧૭૧ થી ૧૭૩ માં આપ્યો. “અને તે=વિરતિનો પરિણામ, હોતે છતે આ=ચૈત્યવંદનાદિ વિધિપૂર્વક સામાયિકનું આરોપણ, વિફલ છે”, ઇત્યાદિ જે પૂર્વપક્ષી વડે ગાથા-૧૬૭ માં કહેવાયેલું, તેના નિરાકરણના અર્થે ગ્રંથકાર ગાથા-૧૭૪૧૭૫ માં કહે છે ગાથા : होंतेऽवि तम्मि विहलं न खलु इमं होइ एत्थऽणुद्वाणं । सेसाणुट्ठाणं पिव आणाआराहणाए उ ॥१७४॥ Jain Education International અન્વયાર્થ : પત્થ=અહીં=દીક્ષાના પ્રક્રમમાં, તર્મીિ હોંતેઽવિ=તે=વિરતિનો પરિણામ, હોતે છતે પણ આળાઆરાહળાÇ ૩=આજ્ઞાની આરાધના હોવાને કારણે જ સેસાનુઢ્ઢાળ પિ વ=શેષ અનુષ્ઠાનની જેમ રૂમ અનુઢ્ઢાળ=આ અનુષ્ઠાન વિનં=વિફલ ન હતુ હોરૂ= નથી જ થતું. * 'હનુ' અને ‘૩’ અવ્યય વકાર અર્થમાં છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy