________________
૨૩૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૦૨ ગાથાર્થ :
જે જિનમતને તમે સ્વીકારો છો, તો વ્યવહારનય અને નિશ્ચયનયનો ત્યાગ કરો નહિ; જે કારણથી વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે. ટીકા :
यदि जिनमतं प्रपद्यध्वं यूयं ततो मा व्यवहारनिश्चयौ मुञ्चत-मा हासिष्ठः, किमित्यत्र आह-व्यवहारनयोच्छेदे तीर्थोच्छेदो यतोऽवश्यम्, अतो व्यवहारतोऽपि प्रव्रजितः प्रव्रजित एवेति गाथार्थः ॥१७२॥ ટીકાર્ય :
જો જિનમતને તમે સ્વીકારો છો, તો વ્યવહાર અને નિશ્ચયને ન મૂકો નત્યજો, ક્યા કારણથી? એમાં= એવી શંકામાં, કહે છે- જેકારણથી વ્યવહારનયના ઉચ્છેદમાં અવશ્ય તીર્થનો ઉચ્છેદ છે, એ કારણથી વ્યવહારથી પણ પ્રવ્રજિત = પ્રવ્રયાસ્વીકારેલો જીવ, પ્રવ્રજિત જ છેસાધુજ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
યોગ્ય જીવોને દીક્ષા આપવાનો શાસ્ત્રીય વ્યવહાર છે; કેમ કે વ્યવહારનયની માન્યતા પ્રમાણે દીક્ષા આપવાથી યોગ્ય જીવો સાધુવેશના બળથી સંયમનો પરિણામ કરી શકે છે. આ પ્રકારના વ્યવહારનયના સ્થાનમાં નિશ્ચયનયનું અવલંબન લઈને વ્યવહારનયનો અપલાપ કરવાથી વ્યવહારનયનો ઉચ્છેદ થાય છે; અને વ્યવહારનયનો ઉચ્છેદ થવાથી ભગવાનનું શાસન પ્રવર્તતું બંધ થઇ જાય છે, તેથી અવશ્ય તીર્થનો ઉચ્છેદ થાય છે. માટે જ વ્યવહારનયના સ્થાને નિશ્ચયનયનો આશ્રય કરનાર પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે જો તમે ભગવાનના શાસનને માનતા હો, તો વ્યવહારનય અને નિશ્ચયનય એ બંનેને છોડશો નહીં; આથી તીર્થને ચલાવનાર એવા વ્યવહારનયનું અવલંબન લઈને સંયમમાં યત્ન કરશો અને યોગ્ય જીવોને વિધિપૂર્વક સંયમ આપવા માટે પ્રયત્ન કરશો, તો કલ્યાણ થશે. આથી વ્યવહારથી પણ પ્રવ્રજિત એવો યોગ્ય જીવ પ્રવ્રયાવાળો જ છે, એ પ્રકારનો ભગવાનના શાસનમાં વ્યવહાર ચાલે છે.
વળી, સંયમ ગ્રહણ કર્યા પછી કેવલ ક્રિયામાત્રમાં સંતોષ માનશો અને પરિણામથી નિરપેક્ષ પ્રવૃત્તિ કરશો, તો નિશ્ચયનયનો અપલાપ થશે. માટે વ્યવહારનયને અવલંબીને જેમ સંયમપ્રહણ કર્યું, તેમ સંયમપ્રહણ કર્યા પછી નિશ્ચયનયનું અવલંબન લઈને પરિણામમાં પ્રયત્ન કરશો, તો ભગવાનનું શાસન તમારા હિતનું કારણ બનશે.ll૧૭૨ અવતરણિકા :
एतदेव समर्थयतिઅવતરણિતાર્થ :
આને જ સમર્થે છે, અર્થાત્ વ્યવહારનયના સ્થાને ઉચિત વ્યવહારનયથી આત્મહિત થાય છે, એ વાતનું જ સમર્થન કરે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org