________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૫-૧૬૬
૨૨૦
ભાવાર્થ :
શાસ્ત્રમાં સંભળાય છે કે ભરતાદિએ ચૈત્યવંદન આદિ વિધિપૂર્વકની દ્રવ્યદીક્ષા ગ્રહણ કરેલ ન હતી ; છતાં ભરતાદિ મહાપુરુષોને વિરતિનો પરિણામ પ્રગટ થયેલો હતો.
વળી, પ્રવચનમાં કહેવું છે કે ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયા વગર કેવલજ્ઞાન થાય નહિ અને દ્રવ્યદીક્ષાની ક્રિયા વગર પણ ભરતાદિને કેવલજ્ઞાન થયું, તેથી નક્કી થાય છે કે ભરતાદિને ભાવથી વિરતિનો પરિણામ પ્રગટ થયો હતો. માટે પૂર્વગાથામાં કહ્યું તેમ વિરતિના પરિણામમાં જ યત્ન કરવો ઉચિત છે, પરંતુ દીક્ષાની ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરવાનું કોઈ પ્રયોજન નથી; એ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. ll૧૬પણી અવતરણિકા :
પૂર્વપક્ષીએ પૂર્વગાથામાં કહ્યું કે દીક્ષાગ્રહણની ક્રિયા કર્યા વગર પણ ભરતાદિને વિરતિનો પરિણામ થયો. હવે દીક્ષાગ્રહણની ક્રિયા કરવા છતાં વિરતિનો પરિણામ નથી પણ થતો, એમ બતાવવા દ્વારા દીક્ષા ગ્રહણ કરવામાં ચૈત્યવંદનાદિ ક્રિયાકલાપને અનુપયોગી સ્થાપન કરતાં પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
संपाडिएऽवि अ तहा इमंमि सो होइ नत्थि एअंपि।
अंगारमद्दगाई जेण पवज्जंतऽभव्वा वि ॥१६६॥ અન્વયાર્થ :
તહ મ રૂમિ સંપવિ = અને તે પ્રકારે આ = ચૈત્યવંદનાદિ, સંપાદિત હોતે છતે પણ સો = તે = વિરતિનો પરિણામ, રોOિ = થાય છે, નથી થતો, પ = એ પણ છે; નેur = જે કારણથી મંગારમાડું = અંગારમદકાદિ મમળાવિ = અભવ્યો પણ (દીક્ષા ગ્રહણની ચૈત્યવંદનાદિ ક્રિયાઓ) પવનંતિ = સ્વીકારે છે.
ગાથાર્થ :
અને તે પ્રકારે ચૈત્યવંદન વગેરે ક્રિયાઓ સંપાદન કરાવે છતે પણ વિરતિનો પરિણામ થાય છે, નથી થતો, એ પણ છે; જે કારણથી અંગારમર્દક વગેરે અભવ્યો પણ ચૈત્યવંદનાદિ ક્રિયાઓ સ્વીકારે છે. ટીકા :
सम्पादितेऽपि च तथा अस्मिन् = चैत्यवन्दनादौ व्यतिकरे सति सः विरतिपरिणामो भवति नास्त्येतदपि, अत्राप्यनियम एव, इत्येतदेवाह-अङ्गारमईकादयो येन कारणेन प्रतिपद्यन्ते अधिकृतव्यतिकरमभव्या अपि, आसतां तावदन्य इति गाथार्थः ॥१६६॥ * “તપિ" માં રિ' થી એ કહેવું છે કે ચૈત્યવંદનાદિ વ્યતિકર ન કરે તો તો વિરતિનો પરિણામ થાય કે ન થાય એ છે જ, પરંતુ ચૈત્યવંદનાદિ વ્યતિકર કરવા છતાં વિરતિનો પરિણામ થાય કે ન થાય એ પણ છે. * “અત્રપિ' માં “પિ'થી એ જણાવવું છે કે ચૈત્યવંદનાદિ વ્યતિકર ન કરાય તો તો વિરતિનો પરિણામ થવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org