________________
૨૨૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૬૦-૧૬૧ જીવને પુરુષાર્થ તો કેવલજ્ઞાનની પ્રાપ્તિરૂપ ચૌદ કારણો સુધી જ કરવાનો હોય છે; કેમ કે કેવલજ્ઞાન પામ્યા પછી યોગ્યકાળે કેવલીને યોગનિરોધ કરવાનો હોય છે, જે યોગનિરોધ કેવલીની ઉચિત પ્રવૃત્તિરૂપ છે. અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે જીવને કંઈક મેળવવાનું બાકી હોય છે, તેથી તે સમયે જીવમાં સાધના કરવાનો પરિણામ વર્તતો હોય છે, જયારે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થયા પછી જીવને કંઈ મેળવવાનું બાકી રહેતું નથી, તેથી જીવમાં સાધના કરવાનો પરિણામ પણ વર્તતો નથી. આથી શીલની પ્રાપ્તિ કર્યા પછી જીવને ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન, એમ બે પ્રાપ્ત કરવાના બાકી રહે છે. ll૧૬oll ગાથા :
ता तह कायव्वं ते जह तं पावेसि थेवकालेणं ।
सीलस्स नत्थऽसज्झं जयंमि तं पाविअं तुमए ॥१६१॥ અન્વયાર્થ :
તeતે કારણથી તે તારા વડે તદ વાળંગતેવી રીતે કરાવું જોઇએ નહિં=જેવી રીતે તંત્ર તેને=બાકી રહેલા બેને, થેવાત્મf=થોડા કાળ વડે પાણિકતું પ્રાપ્ત કરે. નિયંત્રિજગતમાં સત્તસગશીલને રસ નસ્થિ=અસાધ્ય નથી, તં તેરશીલ, તુમ તારા વડે પવિરૂદ્મ=પ્રાપ્ત કરાયું છે. ગાથાર્થ :
શીલ સુધીનું તેં પ્રાપ્ત કરી લીધું છે, તેથી તારે તેવું કરવું જોઇએ કે જેથી બાકી રહેલ બે કારણોને થોડા જ કાળમાં તું મેળવી શકે. જગતમાં શીલને કંઇ અસાધ્ય નથી અને તે શીલને તેં મેળવી લીધું છે. ટીકા :
तत्तथा कर्त्तव्यं त्वया यथा तत्=शेषं प्राप्नोषि स्तोककालेन, किमित्यत आह-शीलस्य नास्त्यसाध्यं जगति, तत्प्राप्तं त्वया प्रव्रज्या प्रतिपन्नेति गाथार्थः ॥१६१॥ ટીકાર્ય :
તે કારણથી તારા વડે તેવી રીતે કરાવું જોઈએ, જેવી રીતે સ્તોક કાલ વડે તેને=શેષનેત્રક્ષાયિકભાવ અને કેવલજ્ઞાનને, તું પ્રાપ્ત કરે તેવું શું કરવું જોઈએ? એથી કહે છે- જગતમાં શીલને અસાધ્ય નથી, તે-તેવું શીલ, તારા વડે પ્રાપ્ત કરાયું છેઃતારા વડે પ્રવજયા સ્વીકારાઈ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
હિતોપદેશ આપતાં ગુરુ શિષ્યને કહે છે કે મોક્ષપ્રાપ્તિના ૧૫ ઉપાયો બતાવ્યા તેમાંથી શીલ સુધીના ૧૨ ઉપાયો તે પ્રાપ્ત કરી લીધા છે. હવે તારે ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન એમ બે પ્રાપ્ત કરવાના બાકી રહે છે, તે કારણથી તારે અપ્રમાદભાવથી તેવો યત્ન કરવો જોઇએ કે જેથી થોડા કાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાનરૂપ બે ઉપાયોને તું પ્રાપ્ત કરે.
અહીં પ્રશ્ન થાય કે તેનું શું કરવું જોઇએ કે જેથી થોડા કાળમાં ક્ષાયિકભાવ અને કેવલજ્ઞાન પ્રાપ્ત થાય? તેથી ગુરુ શિષ્યને કહે છે કે જગતમાં શીલને કંઈ અસાધ્ય નથી અર્થાત્ શીલ મેળવ્યા પછી બાકીનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org