________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૫૧-૧૫ર
૨૧૩ વળી એક મતના આચાર્યો ફરી પણ આચરણાથી કાયોત્સર્ગને કરાવે છે, તેમાં પણ અદોષ જ છે. ફક્ત તે એક મતના આચાર્યોના મતે ૧૨૫મી દ્વારગાથામાં પદિ વરસ્યો એ પ્રકારનો પાઠાંતર=અન્ય પાઠ, જાણવો. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
શિષ્ય જ્યારે પ્રદક્ષિણા આપે છે, ત્યારે પાસે રહેલા આચાર્ય આદિ સર્વ સાધુઓ, શ્રાવકાદિ નવદીક્ષિત સાધુના મસ્તક ઉપર વાસક્ષેપ નાખે છે.
મૂળગાથાનો ત્રીજો પાદ ટીકામાં મૂકેલ નથી, પરંતુ તેનો જ અર્થ ટીકામાં નીચે પ્રમાણે કરેલ છે
ગાથા-૧૪૬ માં બતાવ્યું તે પ્રમાણે ગુરુએ શિષ્યને કહ્યું કે “વંદન કરીને પ્રવેદન કર”, ત્યારથી માંડીને ગાથા-૧૪૭ના પૂર્વાર્ધમાં શિષ્યએ ગુરુને કહ્યું કે “તમે મારામાં સામાયિકનું આરોપણ કર્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું”, ઇત્યાદિ સર્વ કથન શિષ્ય ત્રણ વખત બોલે અને ગુરુ પણ ત્રણ વખત નિસ્વારકાદિ આશીર્વચનો આપે. આ રીતે ગાથા-૧૨૫ માં બતાવેલ છ દ્વારોમાંના છેલ્લા દ્વારનું વ્યાખ્યાન થયું.
હવે આ વિધિમાં અન્ય આચાર્યો કંઈક વિશેષ કહે છે, તેને ગ્રંથકાર બતાવે છે- એક મતના આચાર્યો ફરી પણ આચરણાથી કાયોત્સર્ગ કરાવે છે, અને તેમાં પણ દોષ નથી, અર્થાત્ ગાથા-૧૫૦માં બતાવ્યું તેમ વંદન કરીને શિષ્ય ત્રણ વાર પ્રદક્ષિણા આપે, ત્યારપછી તે ક્રિયા નિમિત્તે કાઉસ્સગ્ન કરવામાં પણ કોઈ દોષ નથી. વળી આ કાઉસ્સગ્ગ કેટલાક આચાર્યો કરાવે છે અને કેટલાક આચાર્યો નથી કરાવતા, એ પ્રકારે મતાન્તર છે. આથી મતાન્તર પ્રમાણે કાઉસ્સગ્ન સ્વીકારવામાં આવે તો, છ દ્વારોમાંથી ચરમદ્વારમાં પાહિ વેવતિgત્તો ને સ્થાને પદિvi વેવડરૂપો એ પ્રકારનો પાઠાંતર જાણવો.
તાત્પર્ય એ છે કે જે આચાર્યો કાઉસ્સગ્ગ માનતા નથી, તેમના મત પ્રમાણે ગાથા-૧૨૫ માં બતાવ્યો તેમ જ “પાહિ વેવતિવવૃત્ત' પાઠ છે; અને જે આચાર્યો કાઉસ્સગ્ન કરવાનું કહે છે, તેમના મત પ્રમાણે “પયાદિvi વેવ સમા" એ પ્રકારનો પાઠ સમજવો, જેથી ‘પ્રદક્ષિણા” અને “કાઉસ્સગ્ગ એમ બંનેનું ગ્રહણ થઈ જાય.
વળી,ટીકામાં સામયિનેગારોપયત પછી રહેલ રૂરિ' શબ્દથી ગાથા-૧૪૭ના પૂર્વાર્ધમાં રહેલ રૂછો ૩પુઢિંથી માંડીને ગાથા-૧૫૧ ના પૂર્વાર્ધમાં રહેલ હિતિ તો વા સુધીનું સર્વ કથન ગ્રહણ કરવાનું છે. તેથી
એ પ્રાપ્ત થાય કે ગાથા-૧૪૬ થી માંડીને ગાથા-૧૫૧ના પૂર્વાર્ધમાં બતાવેલી સર્વ વિધિ દીક્ષાગ્રહણની ક્રિયામાં શિષ્યએ ત્રણ વખત કરવાની હોય છે. ૧૫૧૫
અવતરણિકા :
દીક્ષા લેવાના વિષયમાં ગાથા-૧૨૫માં બતાવેલ છ દ્વારોનું વર્ણન પૂર્વગાથામાં પૂરું થયું, હવે દીક્ષા લેતી વખતે તપશું કરવો જોઇએ? તેનું નિવેદન કરે છે
ગાથા :
आयंबिले अनियमो आइण्णं जेसिमावलीए उ। ते कारविंति नियमा सेसाण वि नत्थि दोसा उ॥१५२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org