________________
૨૦૯
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૪૦ થી ૧૪૯ આવો થઈને તું પ્રકષ્ટ જ્ઞાનાદિ ગુણો વડે વધ”. આવા પ્રકારનું અનુશાસન આપવાથી શિષ્યમાં સામાયિકનું સમ્યમ્ આરોપણ થાય છે; કેમ કે વિનયી શિષ્ય ગુરુના અનુશાસનની ઇચ્છા રાખે છે અને ગુરુ જ્યારે આવાં વચનો કહે છે ત્યારે તે વિનયી શિષ્ય ઉપયોગપૂર્વક સાંભળે છે, જેથી ગુરુના વચનના બળથી શિષ્યમાં સામાયિકનું સમ્ય આરોપણ થાય છે. વસ્તુતઃ સામાયિકનું આરોપણ ગુરુએ કરી દીધેલ છે છતાં આ પ્રકારની અનુશાસ્તિથી શિષ્યનો પ્રકર્ષવાળો થયેલ ઉપયોગ સામાયિકને સમ્યગું વહન કરનાર થાય છે.
આ રીતે ગુરુ અનુશાસન આપે, ત્યારપછી ઇચ્છાપૂર્વક ગુરુને વંદન કરીને શિષ્ય “તમે મને અનુશાસન આપ્યું, હવે હું અનુશાસન માટે અન્ય સાધુઓને નિવેદન કરું?” એ પ્રકારની ગુરુ પાસે અનુજ્ઞા માંગે છે, જેથી શિષ્યમાં ગુણવાન ગુરુને પરતંત્ર થવાનો ગુણ પ્રગટ થાય છે. ૧૪૭/૧૪૮ અવતરણિકા :
ગાથા-૧૪૩ માં બતાવેલ કે ગુરુ શિષ્યને ત્રણ વાર સામાયિકસૂત્ર ઉચ્ચરાવે છે અને શિષ્ય પણ તે જ રીતે મનમાં સામાયિકસૂત્ર બોલે છે. ત્યારપછી ગાથા-૧૪૪ માં બતાવ્યું કે ગુરુ વાસક્ષેપને મંત્રીને તે વાસક્ષેપથી ભગવાનની પૂજા કરે છે અને સાધુ આદિને પર્યાય પ્રમાણે વાસક્ષેપ આપે છે.
તેના સ્થાને અન્ય આચાર્યો એમ કહે છે કે ગાથા-૧૪૪–૧૪૫-૧૪૬ માં બતાવેલ સર્વ વિધિ કર્યા પછી જ્યારે શિષ્ય ગુરુને કહે કે “તમે મારામાં સામાયિક આરોપ્યું, હવે હું અનુશાસનને ઇચ્છું છું” ત્યારે, ગુરુ ભગવાનની વાસક્ષેપથી પૂજા કરે છે અને સાધુ આદિને વાસક્ષેપ આપે છે અને ત્યારપછી શિષ્યને આશીર્વાદ આપે છે. તે બતાવતાં પ્રસ્તુત ગાથામાં કહે છેગાથા :
अन्ने उ इत्थ वासे देंति जिणाईण तत्थ एस गुणो।
सम्मं गुरू वि नित्थारगाइ तप्पुव्वगं भणइ ॥१४९॥ અન્વયાર્થ :
રૂW = અહીં = આ અવસરમાં, ૩= વળી અન્યો નિખારૂં વારે તિ =જિનાદિને વાસ આપે છે. તત્ય = ત્યાં = પ્રાગુક્ત સ્થાનમાં, (વાસ અપાયે છતે પણ) = આ ગુણ છે, તે ગુણ જ બતાવે છે.) ગુરૂ વિ= ગુરુ પણ સમં=સમ્યગુ તપુત્ર તેના પૂર્વક = શિષ્યના મસ્તક ઉપર વાસક્ષેપ નાખવાપૂર્વક, નિત્થાર!IŞ= નિસ્વારકાદિને મારૂં બોલે છે.
ગાથાર્થ :
ગાથા-૧૪૦ ના પૂર્વાર્ધમાં કહ્યું તે પ્રમાણે શિષ્ય કહે કે “તમે સામાયિક આરોપણ કર્યું હવે હું અનુશાસનને ઇચ્છું છું', તે અવસરે અન્ય આચાર્યો જિનાદિને વાસક્ષેપ આપે છે. ગાથા-૧૪૪ માં બતાવ્યું તે સ્થાને જિનાદિને વાસક્ષેપ અપાયે છતે પણ આ લાભ છે કે ગુરુ પણ સખ્ય શિષ્યના માથા ઉપર વાસક્ષેપ નાખવાપૂર્વક વિસ્તારક વગેરે વચનો બોલે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org