________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૪-૧૩૫
૧૯૩
ભાવાર્થ :
દિગંબર સંપ્રદાયમાં રહેલા કેટલાક દિગંબરવિશેષો માને છે કે રજોહરણ દ્વારા પ્રમાર્જના કરવાથી જીવોનો પરસ્પર સંશ્લેષ થાય છે અથવા તો જીવોનો ધૂળ વગેરે સાથે સંશ્લેષ થાય છે અને તેના કારણે જીવોનો ઉપઘાત થાય છે. માટે રજોહરણ સંયમયોગોનું કારણ નથી. આથી રજોહરણને સંયમયોગોનું કારણ કરીને સાધુના લિંગ તરીકે સ્વીકારવું અનુચિત છે. ૧૩૪ો. અવતરણિકા :
एतदेवाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં દિગંબરવિશેષોનો મત બતાવતાં કહ્યું કે રજોહરણથી કરાતી પ્રમાર્જના અને સંસર્જન દ્વારા જીવોનો ઉપઘાત થાય છે, એને જ કહે છે
ગાથા :
मूइंगलिआईणं विणाससंताणभोगविरहाई।
रयदरिथज्जणसंसज्जणाइणा होइ उवघाओ॥१३५॥ અન્વયાર્થ :
(પ્રમાર્જના કરાય છ0) મૂડું નમા=કીડી આદિનો વિUTHવંતા મોવિરા =વિનાશ, સંતાનનો= પ્રબંધગમનનો, અને ભાગ્યનો=અનાજના દાણાનો, વિરહ આદિ થાય છે. (તથા) રથિન સંપન્નVIqI =રજ વડે દરના સ્થગન, સંસર્જનાદિ દ્વારા સવાઝોકઉપઘાત દોડું થાય છે. ગાથાર્થ :
રજોહરણ દ્વારા પ્રમાર્જના કરાયે છતે કીડી આદિનો વિનાશ થાય છે, કીડી આદિના સ્વાભાવિક અવિચ્છિન્ન ગમનનો વિરહ થાય છે અને ભોગ્ય એવા અનાજનો વિરહ વગેરે થાય છે, અને ધૂળ ઊડવાને કારણે કીડી વગેરેનાં દરો ઢંકાઇ જવાથી અને ધૂળનો સંસર્ગ થવાથી કીડી વગેરે જીવોને ઉપઘાત થાય છે. ટીકા :
प्रमार्जने सति मूइंगलिकादीनां पिपीलिकामत्कोटप्रभृतीनां विनाशसन्तानभोग्यविरहादयो भवन्तीति वाक्यशेषः, रजोहरणसंस्पर्शनादल्पकायानां विनाशः, एवं सन्तानः प्रबन्धगमनं भोग्यं सिक्थादि एतद्विरहस्तु भवत्येवेत्युपघातः, तथा रजोदरीस्थगनसंसर्जनादिना भवत्युपघात, इति सम्भवति च प्रमार्जने सति रजसा दरिस्थगनं तत्संसर्जने च सत्त्वोपघात इति गाथार्थः ॥१३५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org