________________
૧૯૨
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૩-૧૩૪
સંયમયોગો પ્રત્યે રજોહરણ કારણ છે. માટે સંયમયોગોના કારણમાં સંયમયોગોરૂપ કાર્યનો ઉપચાર કરીને ઓઘાને રજેહરણ' શબ્દથી વાચ્ય કરેલ છે.
વળી, બંધાતાં કર્મો રજરૂપ છે; કેમકે કર્મો આત્માને મલિન કરે છે, આથી કર્મ આત્મા ઉપર લાગેલી રજસ્વરૂપ છે. ૧૩૩. અવતરણિકા :
પૂર્વગાથામાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઓઘારૂપ લિંગને રજોહરણરૂપે સ્થાપન કર્યું, ત્યાં ગ્રંથકારને કેટલાકનો મત સ્મરણ થવાથી તે મત બતાવીને તે મતનું નિરાકરણ કરવા અર્થે કહે છે
ગાથા :
केई भणंति मूढा संजमजोगाण कारणं नेवं ।
रयहरणं ति पमज्जणमाईहुवघायभावाओ ॥१३४॥ અન્વયાર્થ :
પHMUTHવધાવાવાઝો=પ્રમાર્જનાદિથી ઉપઘાતનો ભાવ હોવાને કારણે દરVi=રજોહરણ સંયમનોTT=સંયમયોગોનું IRi=કારણ નેવ=નથી જ, તિ=એ પ્રમાણે વેસ=કેટલાક મૂઢી=મૂઢો મuiતિ=
કહે છે.
* ‘નેવ' માં “ અલાક્ષણિક છે.
ગાથાર્થ :
પ્રમાર્જના આદિથી જીવોનો ઉપઘાત થતો હોવાને કારણે રજોહરણ એ સંચમના યોગોનું કારણ નથી જ, એ પ્રમાણે કેટલાક મૂઢો કહે છે. ટીકા : __ केचन भणन्ति मूढाः = दिगम्बरविशेषाः काष्टाः, संयमयोगानाम् - उक्तलक्षणानां कारणं नैव वक्ष्यमाणेन प्रकारेण रजोहरणमिति, यथा न कारणं तथाऽऽह-प्रमार्जनादिभिः = प्रमार्जनेन संसर्जनेन च उपघातभावात् પ્રનિતિ : શરૂ8I ટીકાર્ય :
કેટલાક મૂઢોકકાષ્ટરૂપ દિગંબરવિશેષો, કહે છે- રજોહરણ કહેવાયેલ સ્વરૂપવાળા સંયમના યોગોનું કહેવાનાર પ્રકારથી કારણ નથી જ; જે રીતે કારણ નથી તે રીતે કહે છે, પ્રમાર્જનાદિ વડે= પ્રમાર્જનથી અને સંસર્જનથી, પ્રાણીઓનો ઉપઘાત થતો હોવાથી રજોહરણ સંયમયોગોનું કારણ નથી, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org